સંબંધિત સમાચાર
- Coldwave in gujarat- ગુજરાતમાં ઠંડીએ તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ; સૌથી ગરમ શહેરના તાપમાનમાં પણ 2 ડિગ્રીનો ઘટાડો થયો
- Coimbatore- કોઈમ્બટુર બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ બાશાનું અવસાન
- Kathua Fire Accident- જમ્મુના કઠુઆમાં આગના કારણે મોટી દુર્ઘટના, ભારે ઠંડીમાં શ્વાસ રૂંધાવાથી 6 લોકોના મોત
- Christmas 2024: 25 ડિસેમ્બરે જ કેમ ઉજવવામાં આવે છે ક્રિસમસ ડે, આ છે જાણો તેના પાછળનો ઈતિહાસ
- Rann Utsav 2024-25 ધોરડોમાં કચ્છ રણ ઉત્સવ 2024 નો પ્રારંભ, પ્રવાસીઓને મળશે આ સુવિધાઓ
PMJAY scheme- 1500 રૂપિયા આપો, 15 મિનિટમાં આયુષ્માન કાર્ડ મેળવો... મોદી સરકારની PMJAY યોજના કૌભાંડ પર્દાફાશ
PMJAY scheme - ખ્યાતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ચાલી રહેલી તપાસમાં ગુજરાતની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો છે. ગુજરાતમાં આયુષ્માન કાર્ડ સરકારના પોર્ટલમાં રહેલી ટેકનિકલ ખામીનો લાભ લઈને સોર્સ કોડ સાથે ચેડા કરીને હજારો કાર્ડ બનાવવામાં આવ્યા છે. ગુજરાત પોલીસને શંકા છે કે આ દેશવ્યાપી કૌભાંડ છે. આ કેસમાં વોન્ટેડ રશીદ બિહારનો છે. નિયમો અનુસાર 2 થી 3 દિવસ લાગતું આયુષ્માન કાર્ડ ગુજરાતની એક ગેંગ દ્વારા માત્ર 15 મિનિટમાં બનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત આધાર પુરાવા સાથે છેડછાડ કરીને આ ગેંગ આયુષ્માન કાર્ડ માટે 1500 થી 2000 રૂપિયા વસૂલતી હતી.
ગુજરાતમાં PMJAY યોજના કૌભાંડ પર્દાફાશ
ગુજરાતમાં PMJAY યોજના કૌભાંડ પર્દાફાશ થયુ છે. રૂપિયા આપો તો 15 મિનિટમાં કાર્ડ બની જતા, 6 લોકોની ધરપકડ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લોકોની સુખાકારી માટે છે.
ક્રાઈમ બ્રાંચ પોલીસે PMJAY કાર્ડ કૌભાંડ આચરનાર ટોળકીનો પર્દાફાશ કર્યો. આ ટોળકીમાં અમદાવાદ, ભાવનગર, અને સુરત વિસ્તારના કુલ 6 લોકો સામેલ છે. આ 6ની ટોળકીએ પાત્રતા વગરના અનેક લોકોને PMJAY યોજનામાં સમાવેશ કરી સરકારને ચુનો લગાડ્યો.
