સંબંધિત સમાચાર
- ભારત આઝાદ છે પણ ગૂજરાતની જનતા કેદ છે, ગુજરાતને મુક્ત બનાવીશુ - ખેડૂત નેતા રાકેશ ટીકૈતનુ એલાન
- લાલ કીલા હિંસા: દીપ સિદ્ધુનો આઘાતજનક ઘટસ્ફોટ, લાલ કિલા પર 75 મિનિટ રોકાઈ, આ લોકો સાથે વાત કરી
- Kisan Andolan Chakka Jam: ગાજીપુર બોર્ડર પર અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જુઓ વિડિઓ
- Kisan Andolan - ગ્રેટાના ટૂલકિટ દ્વારા વિદેશી ષડયંત્ર બેનકાબ, દિલ્હી પોલીસે ક્રિએટર્સ વિરુદ્ધ નોંધાવી FIR
- Kisan Andolan- લાલ કિલ્લા પર ઉપદ્રવ કરનાર દીપ સિદ્ધુ સહિત ચાર પર એક લાખનું ઈનામ હજી ફરાર છે
આબુ રોડથી ટ્રેક્ટર યાત્રા યોજીને ગુજરાત આવશે ખેડૂત નેતા રાકેશ ટીકૈત, કોગ્રેસે આપ્યું સમર્થન
આંદોલનકારી ખેડૂત નેતા રાકેશ ટિકૈત આવતીકાલથી બે દિવસ ગુજરાત મુલાકાતે છે. જ્યાં તેઓ પાલનપુર અને બારડોલીમાં કિસાન મહાસંમેલન કરી કેંદ્ર સરકાર સામે હલ્લાબોલ કરશે.જેમાં તેઓને કૉંગ્રેસ સાથ આપશે. ટિકૈત રવિવારે સવારે 11 કલાકે બનાસકાંઠામાં આવેલા શક્તિપીઠ અંબાજી પહોંચશે અને માતાજીના દર્શન કરશે. ત્યારબાદ બપોરે અઢી કલાકે પાલનપુરમાં કિસાનો સાથે સંવાદ કરશે. રસપ્રદ બાબત એ છે કે, ઉત્તર ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો પાટીદાર છે. એવામાં રાકેશ ટિકૈત પાટીદારોની કુળદેવી ઊંઝા ઉમિયાધામના દર્શન કરવા સાંજે પાંચ વાગ્યે પહોંચશે. આ તરફ ટિકૈતના ગુજરાત પ્રવાસને કૉંગ્રેસે પણ સમર્થન આપ્યું. કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ચેતવણી આપી કે, ગુજરાત સરકાર ખેડૂતોના અવાજને દબાવવાનો પ્રયાસ ન કરે.દેશમાં કિસાન અને સામાજિક સંગઠનો દ્વારા ગાંધીજીની રાહે મિટ્ટી સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સામાજિક કાર્યકર સાથે કેટલાક કિસાન નેતાઓ અલગ અલગ રાજ્યો માં જઈને માટી એકઠી કરી રહ્યા છે. આ માટી 6 એપ્રિલ સુધી અનેક જગ્યાએથી એકઠી કરીને સિંધુ બોર્ડર પર કિસાન આંદોલનને લઈને કિસાન શહીદ સ્મારકની સ્થાપના કરાશે. સામાજિક કાર્યકર શબનમ હાશ્મી અને ખેડૂત નેતા સુનિલમે આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે અમારા એક નેતાને પત્રકાર પરિષદમાંથી પોલીસે ઉઠાવ્યા હતાં પણ આગામી સમયમાં કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈત ગુજરાત આવી રહ્યાં છે. જો પોલીસ તેમને રોકશે તો તેના પડઘા સમગ્ર દેશમાં પડશે. ખેડૂતો તેનો જવાબ આપશે.
