બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 25 નવેમ્બર 2021 (10:59 IST)

રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં કરાયો ઘટાડો, હવે આટલામાં મળશે ટિકીટ

કોરોનાકાળમાં રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના ધસારા પર કાબૂ મેળવવા માટે પશ્ચિમ રેલવેના દ્વારા રેલવે પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરીને 50 કરી દેવામાં આવ્યા હતા. પરંતુ પરિસ્થિતિ સામાન્ય થતા અમદાવાદ રેલવે મંડળ દ્વારા પ્લેટફોર્મ ટિકિટના દરમાં ઘટાડો કરી રેલવેના મુસાફરોને મોટી રાહત આપવામાં આવી છે.
 
અમદાવાદના મંડળ રેલ પ્રબંધક તરુણ જૈનના જણાવ્યા અનુસાર, કોરોનાના સમયગાળા દરમિયાન રેલવે સ્ટેશનો પર મુસાફરોના બિનજરૂરી ધસારાને નિયંત્રણમાં લેવાને કારણે અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, ભુજ, મહેસાણા, વિરમગામ, મણિનગર, સામખિયાળી, પાટણ, ઊંઝા, સિદ્ધપુર, સાબરમતી (રાણીપ) અને સાબરમતી બી.જી. (ધરમનગર) રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં રૂ. 30નો વધારો કરવામાં આવ્યો હતો જેને ફરી 10 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. 
 
આ રીતે અમદાવાદ મંડળના તમામ નાના-મોટા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ 10 રૂપિયા કરવામાં આવ્યો છે. રેલવે મુસાફરોને રાહત આપતો આ નિર્ણય 24 નવેમ્બરથી શરૂ થયો છે. 
 
પ્લેટફોર્મ ટિકિટ
પ્લેટફોર્મ ટિકિટ મુસાફરને ટ્રેનમાં ચઢવા માટે પાત્ર બનાવે છે. આ સાથે યાત્રીને તે સ્ટેશનથી ભાડુ ચુકવવું પડશે, જ્યાંથી તેણે પ્લેટફોર્મ ટિકિટ ખરીદી છે. ભાડુ વસુલવા સમયે ડિપાર્ચર સ્ટેશન પણ તે સ્ટેશનને માનવામાં આવશે અને યાત્રાનું ભાડુ પણ તે શ્રેણીનું વસૂલ કરવામાં આવશે, જેમાં તે સફર કરી રહ્યો હશે. 
 
ટિકિટ ખોવાય જાય તો શું કરશો
જો તમે ઈ-ટિકિટ લીધી છે અને ટ્રેનમાં બેસવા સમયે તમારી ટિકિટ ગુમ થઈ ગઈ છે તો તમે ટિકિટ ચેકરને 50 રૂપિયા પેનલ્ટી આપી તમારી ટિકિટ મેળવી શકો છો. ટ્રેનમાં યાત્રા પહેલા આ મહત્વના નિયમો હંમેશા ધ્યાનમાં રાખો.