ગુરુવાર, 14 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 જાન્યુઆરી 2022 (16:05 IST)

પક્ષીઓની અંતિમ યાત્રા, પક્ષીઓને માનપૂર્વક અંતિમવિધિ માટે લઈ જવાયા હતા.

The final journey of the birds
14 મી અને 15 મી તારીખે પતંગ રસિયાઓની ઉત્તરાયણની મજા તો પૂરી થઈ ગઈ પણ પર્વ દરમિયાન પતંગના દોરાથી કપાઈને મૃત્યુ પામેલા કબુતરોને અને કાગડાના જીવદયા પ્રેમીઓ દ્વારા અંતિમવિધિ થઈ. આમાં કબૂતરોની સંખ્યા સૌથી વધારે છે. 
 
ત્રણ દિવસ દરમિયાન શહેરના કેટલાક વિસ્તારોની અંદર મૃત્યુ પામેલા પક્ષીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા. મોટાભાગના પક્ષીઓના દેહ માંજાના કારણે અગાસીઓમાં કે વાયરો ઉપર લટકેલા જોવા મળ્યા હતા. એવા તમામ પક્ષીઓ અને નીચે ઉતારીને એકત્રીત કરી  ખાડો કરીને પક્ષીઓની અંતિમવિધિ કરાઈ હતી.
 
સુરતમાં તાપી નદીના તટ પર એક સાથે મૃતક પક્ષીઓની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. જે દ્રશ્ય જોઈને કમકમાટી સર્જાય તેવો અનુભવ થાય છે. દુઃખની લાગણી સાથે તમામ લોકોને અંતિમયાત્રા દરમિયાન ક્યારેય પતંગ ન ઉડાવવા માટે સતત અપીલ કરવામાં આવી છે.