1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 16 જાન્યુઆરી 2023 (14:45 IST)

ફેલાય રહ્યો છે સમુદ્ર, કપાય રહ્યુ છે શહેર.... જોશીમઠ વિપદા વચ્ચે અમદાવાદને લઈને ISROની રિપોર્ટ

gujarati anchor
ઉત્તરાખંડના જોશીમઠનુ જમીનમાં સમાઈ જવાને લઈને સેકડો પરિવાર પોતાનુ ઘર છોડવા માટે મજબૂર થઈ ગયા છે. આ વચ્ચે જ એક રિપોર્ટ આવી છે જેના કારણે ગુજરાત સરકારની ચિંતાઓ પણ વધી શકે છે.  રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના અમદાવાદના દરિયાની આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપથી ધોવાણ થઈ રહ્યું છે, જેના કારણે આ વિસ્તારો કાં તો દરિયાના પાણીમાં ડૂબી જશે અથવા તો નીચે ડૂબી જશે. આ રિપોર્ટ ISROના સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવ્યો છે. 
 
આ રિપોર્ટ વૈજ્ઞાનિકોની ટીમે તૈયાર કર્યો છે. રિપોર્ટ અનુસાર, ગુજરાતના દરિયાની આસપાસ 110 કિમીના દરિયાકાંઠામાં ધોવાણ થઈ રહ્યું છે. 49 કિલોમીટરમાં આ ધોવાણ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. જો કે 1052 કિમીના દરિયાકાંઠાને વધારે નુકસાન થયું નથી. જેમાં વૈજ્ઞાનિકોએ આ વાત કહી છે સંશોધન પેપરનું  નામ  ‘Shoreline Change Atlas of the Indian Coast- Gujarat- Diu & Daman’ છે. વૈજ્ઞાનિકોની ટીમે આની પાછળ ક્લાઈમેટ ચેન્જને જવાબદાર ગણાવ્યું છે. જો કે, ધોવાણ વચ્ચે વૈજ્ઞાનિકોએ પણ કહ્યું છે કે ગુજરાતમાં 208 હેક્ટર જમીનમાં વધારો થયો છે. પરંતુ, રાજ્યની 313 હેક્ટર જમીન પણ દરિયામાં ડૂબી ગઈ છે. અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે કે કચ્છ જિલ્લાને સૌથી વધુ નુકસાન થયું છે.
 
આ જીલ્લામાં સૌથી વધુ નુકશાન થયુ 
 
કુણાલ પટેલ અને અન્ય વૈજ્ઞાનિકોની ટીમે તેમના અભ્યાસ માટે ગુજરાતને ચાર રિસ્ક ઝોનમાં વિભાજિત કર્યું છે. આ મુજબ, દરિયાનો 785 કિમીનો તટીય વિસ્તાર હાઈ રિસ્ક ઝોનમાં છે અને 934 કિમીનો વિસ્તાર મધ્યમથી ઓછા રિસ્ક ઝોનમાં છે. અહેવાલ મુજબ કચ્છ બાદ જામનગર, ભરૂચ અને વલસાડમાં વધુ ધોવાણ થયું છે.
 
હજારો લોકોની જીંદગી પડી શકે છે સંકટમાં 
 
વલસાડ અને નવસારી જિલ્લો દરિયા કિનારે આવેલો છે. દરિયા કિનારે વસેલા ગામના લોકો ચિંતિત છે. સ્થાનિક લોકોના મતે જો દરિયાનું પાણી વધશે તો હજારો લોકોના જીવ જોખમમાં મુકાશે. તેથી સરકારે આ અંગે વિચારવું જોઈએ. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે સેંકડો પરિવારો વિસ્થાપિત થયા છે.