શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 ઑગસ્ટ 2022 (17:37 IST)

ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા સરકારે પશુ પાલકો માટે કરી મોટી જાહેરાત

jitu vaghani
રાજ્યભરમાં રખડતા ઢોરની સમસ્યા એક ગંભીર મુદ્દો બની ગઈ છે. રસ્તા પર ઢોર આવી જતા અનેક વખતે જીવલેણ અકસ્માત સર્જાયા છે. તાજેતરમાં જ નીતિન પટેલની તિરંગા યાત્રામાં પણ ગાય ઘુસી જતા તેમને અડફેટે લીધા હતા. જેમાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. હવે આ ઘટનાના 11 દિવસમાં જ સરકારે રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યના 8 મહાનગરો અને 56 નગરપાલિકાઓમાં રોડ પર પશુ છોડી મૂકવામાં આવે છે,

આ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. ત્યારે પશુપાલકો પાસે વ્યવસ્થા ન હોય તો તેઓ મહાનગરપાલિકા કે નગરપાલિકાના ઢોરવાડામાં પશુઓને મૂકી શકશે. આ માટે પશુપાલકો માટે વિનામૂલ્યે ઢોરને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.તેમણે વધુમાં કહ્યું કે, પશુઓને ત્યાં ઘાસચારો, પાણી સહિતની પૂરતી સગવડો આપીશું. પશુના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ રાજ્ય સરકાર ભોગવશે. જરૂર પડે તો નવા ઢોરવાડા બનાવવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. આ માટે બજેટમાં રૂ. 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને જરૂર પડે તો વધુ રકમ તેમાં ઉમેરાશે.ચોમાસામાં હાલ ખરાબ રસ્તાની પણ એક મોટી સમસ્યા છે. રસ્તા પર અસંખ્ય ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. ઘણીવાર આ ખાડાઓના કારણે અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે સરકારે હવે આ મામલે પણ વિચાર કર્યો છે અને વરસાદના કારણે રોડ પર પડેલા ખાડાને ઝડપથી રીપેરિંગ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.