શુક્રવાર, 26 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 ઑક્ટોબર 2019 (12:19 IST)

શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Vegetables Rate Increase
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસી રહેલા વરસાદે એક તરફ દિપાવલી પુર્વેની ઉત્સવના માહોલને બ્રેક મારી દીધી છે તો બીજી તરફ શાકભાજી અને આવશ્યક ચીજોના ભાવમાં વધારો થતા રસોડાના બજેટને પણ વધારી દીધું છે. ખાસ કરીને શાકભાજીના ભાવમાં 15થી20%નો વધારો થયો છે અને હજુ આગામી થોડા સપ્તાહમાં ભાવ વધારો ગૃહિણીઓને પરેશાન કરતો રહેશે.વાસ્તવમાં કરૂણતા એ છે કે જથ્થાબંધ ભાવ પર માર્કેટયાર્ડના વેપારીઓનો અંકુશ છે અને રીટેલ પર ગ્રાહકો સુધી પહોંચાડતા વર્ગનો જેના કારણે બિનજરૂરી ભાવ વધે તો લોકોને સહન કરવું પડે છે. માર્કેટયાર્ડમાંથી શાકભાજી બહાર નીકળે એટલે 50% જેટલો ભાવવધારો નિશ્ર્ચિત થાય છે અને આ વધતા ભાવથી તેની સીધી અસર ગૃહિણીના બજેટ પર થાય છે. જો કે ચોમાસાના કારણે શાકભાજીની આવક પણ ઘટી છે તેની સીધી અસર પુરવઠા અને માંગના સિદ્ધાંતો મુજબ થતા ભાવ વધી ગયા છે. દિપાવલી બાદ જયારે વરસાદ પૂર્ણ રીતે થંભી જશે અનેનવા ચોમાસુ શાકભાજીની આવક પણ વધશે. તે પછી ભાવ ઘટશે. છતાં જથ્થાબંધ અને રીટેલ ભાવ વચ્ચે જે મોટો તફાવત છે. તેને ઘટાડવા માટે કોઈ પ્રયાસ થાય તો તેનાથી લોકોને રાહત મળે પણ ભાગ્યે જ આ દિશામાં કામકાજ થાય છે.