સંબંધિત સમાચાર
- પૌત્રને ખોળામાં લીધો, પત્નીને ફ્રેમમાં બોલાવી, લાલબાગચા રાજાના દર્શન પછી અમિત શાહે સ્માઈલ કરીને ખેંચાવ્યો ફોટો-વીડિયો
- ગુજરાતમાં ગણેશોત્સવ પહેલા વાતાવરણ બગાડવાનો પ્રયાસ, વડોદરામાં ગણપતિ મૂર્તિ પર ફેક્યા ઇંડા, ત્રણની ધરપકડ
- ભાઈ પાસેથી રૂપિયા પડાવવા માટે ફોઈએ છ વર્ષની ભત્રીજીનુ કર્યુ અપહરણ, રક્ષાબંધન પહેલા સંબંધોને શરમાવતી ઘટના
- 8 વર્ષના બાળકે પોતાની આંખો સામે પિતા અને પછી માતાને મરતા જોયા, માતાએ પિતાને મારીને ખુદ લગાવી લીધી ફાંસી
- હેલો... રૂમ નંબર 443 માં દારૂ પાર્ટી ચાલી રહી છે, વહુ ના દારૂ પીવાથી પરેશાન થઈને સસરાએ કરાવી પોલીસની રેડ
ઈમરજેંસીમાં Dial 112, ગુજરાતમાં 'જનરક્ષક પ્રોજેક્ટ' ની શુભ શરૂઆત, અમિત શાહે 500 વાહનોને આપી લીલી ઝંડી - વિડિઓ
dial 112 amit shah
ગુજરાતનો બહુપ્રતિક્ષિત જન રક્ષક પ્રોજેક્ટ રવિવારે શરૂ થયો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં એક મેગા ઇવેન્ટમાં તમામ ઇમરજન્સી સેવાઓ માટે ડાયલ 112 નંબર લોન્ચ કરવા સાથે 500 જન રક્ષક વાહનોને લીલી ઝંડી આપી. શાહે ડાયલ 112 જન રક્ષક પ્રોજેક્ટ હેઠળ 500 જન રક્ષક વાહનોનું પણ ઉદ્ઘાટન કર્યું, જે પોલીસ, ફાયર એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન, બાળ હેલ્પલાઇન વગેરે જેવી તમામ ઇમરજન્સી સેવાઓ એક જ નંબર (112) દ્વારા પૂરી પાડે છે. એક કેન્દ્રીયકૃત કોલ સેન્ટરમાં 150 વ્યક્તિઓ હશે જે 112 હેલ્પલાઇનને સેવા આપવા માટે ચોવીસ કલાક કાર્યરત રહેશે. નજીકનું જન રક્ષક વાહન કોઈપણ પોલીસ સ્ટેશનની સીમાને ધ્યાનમાં લીધા વિના કોલનો જવાબ આપશે. સુરતમાં કરવામાં આવેલા જન રક્ષકના પાયલોટ પ્રોજેક્ટના પરિણામે પોલીસના પ્રતિભાવ સમયમાં બે મિનિટનો ઘટાડો થયો. બાદમાં, રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ એક અદભુત વિડિઓ પણ શેર કર્યો.
Safety first, safety quick. Janrakshak 112 Project will do the trick. pic.twitter.com/DgQ2Ri6U32
— DGP Gujarat (@dgpgujarat) August 31, 2025
શુ બોલ્યા અમિત શાહ?
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે હવે ઇમરજન્સી સેવાઓ માટે અલગ-અલગ નંબર ડાયલ કરવાથી મુક્તિ મળશે. ફક્ત 112 ડાયલ કરવાથી પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન, બાળ હેલ્પલાઇન જેવી બધી સેવાઓમાંથી તાત્કાલિક મદદ મળશે. તેમણે કહ્યું કે ગુજરાત દેશના સંવેદનશીલ સરહદી વિસ્તારમાં આવેલું રાજ્ય છે. ભૂતકાળમાં ગુજરાતના દરિયા કિનારે, કચ્છ કે બનાસકાંઠાની સરહદો પર ઘણી અનિચ્છનીય ઘટનાઓ બનતી હતી, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન ગુજરાતની સરહદો અભેદ્ય કિલ્લા જેવી બની ગઈ. આજે કાયદો અને વ્યવસ્થામાં ગુજરાત નંબર વન છે. શાહે કહ્યું કે આતંકવાદ સામે 'ઝીરો ટોલરન્સ'ના પરિણામે, પૂર્વોત્તરમાં 10 હજારથી વધુ લોકોએ આત્મસમર્પણ કર્યું છે. તેમણે કહ્યું કે 31 માર્ચ, 2026 ના રોજ સમગ્ર દેશમાંથી નક્સલવાદનો અંત આવશે.
Dial 112: નંબર એક સેવાઓ અનેક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ડાયલ ૧૧૨ એક નંબર છે પરંતુ તેના પર બધી સેવાઓ ઉપલબ્ધ રહેશે. તેમણે કહ્યું કે ગુજરાત પોલીસ આ સાથે એક નવા યુગમાં પ્રવેશ કરશે. તેમણે કહ્યું કે ડાયલ-૧૧૨ પ્રોજેક્ટ રાજ્યમાં નાગરિક સુરક્ષા માટે સરકારનું એક દૂરંદેશી પગલું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે પશ્ચિમ ક્ષેત્રીય બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તમામ કટોકટી સેવાઓને એક છત નીચે લાવવાના સૂચનને ગુજરાતે માત્ર છ મહિનામાં અમલમાં મૂક્યું છે. આ પ્રસંગે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય પણ હાજર રહ્યા હતા.
