બુધવાર, 17 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Modified: ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (08:56 IST)

Pitru Paksha 2021 : પિતૃ પક્ષમાં ખરીદી કરવી શુભ હોય છે કે અશુભ, જાણો તેની સાથે જોડાયેલ મહત્વપૂર્ણ વાતો

પિતૃ પક્ષ એટલે શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ ચુક્યો છે. પિતૃ પક્ષને લઈને મોટાભાગના લોકોમાં ધારણા બની છે કે આ સમય કોઈ પ્રકારની નવી વસ્તુઓ ખરીદવી અશુભ હોય છે. માન્યતા છે કે આ સમય પિતૃ ઘરતી પર પરત ફરે છે અને આવામાં નવી વસ્તુઓ ખરીદવી અશુભ હોય છે. જો કે શાસ્ત્રો અને જ્યોતિષ શાસ્ત્રમાં આ વાતનો કોઈ ઉલ્લેખ નથી કે પિતૃ પક્ષમાં કોઈપણ નવી વસ્તુ ખરીદવી અશુભ હોય છે. 
 
ઘણા લોકોનુ માનવુ છે કે જો તમે આ સમય દરમિયાન કોઈ વસ્તુ ખરીદો છો, તો તે પૂર્વજોને સમર્પિત થઈ જાય છે. આ ઉપરાંત  કેટલાક લોકો માને છે કે આવુ કરવાથી પૂર્વજો નારાજ થઈ જાય છે. આ સમય દરમિયાન માત્ર  શ્રાદ્ધ વિધિ કરીને તેમની સેવા કરવી જોઈએ. આ બધી બાબતોને કોઈ આધાર નથી
 
આ વસ્તુઓ કરવાથી બચો 
 
પિતૃ પક્ષ દરમિયાન કોઈ પણ પ્રકારનું ખરાબ કામ કરવાથી બચવું જોઈએ. આ સમયગાળા દરમિયાન કોઈના વિશે ખરાબ બોલવુ કે વિચારવુ ન જોઈએ.  આ સમયમાં આપણા ઘરમાં પૂર્વજો આવે છે અને પૂર્વજોની તારીખે પૂર્વજોની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
 
માંગલિક કાર્યો ન કરવા જોઈએ. 
15 દિવસ સુધી ચાલનારા પિતૃ પક્ષમાં લગ્ન,  ભૂમિ પૂજન, મુંડન-સંસ્કાર, ગૃહ પ્રવેશ વગેરે કરવું અશુભ કહેવાય છે. જ્યોતિષીઓ મુજબ જો તમારા ઘરમાં કોઈ નવી વસ્તુ આવે છે, તો પૂર્વજો પોતાના બાળકોની પ્રગતિ જોઈને ખુશ થાય છે. આ દિવસોમાં પૂર્વજો માટે શ્રાદ્ધ, તર્પણ અને દાન કરવું જોઈએ.
 
પિતૃ પક્ષમાં બની રહ્યા છે અનેક શુભ યોગ 
 
આ વખતે પિતૃ પક્ષમાં ઘણા શુભ યોગો બની રહ્યા છે. આવી સ્થિતિમાં, તમે માંગલિક કાર્ય છોડીને કોઈપણ નવી વસ્તુ ખરીદી શકો છો. આ મુહૂર્તમાં તમે કંઈપણ ખરીદી શકો છો. પિતૃ  પક્ષમાં અનેક પ્રકારની ઓફર મળે છે. તેથી તમારા મનમાં કોઈપણ શંકા રાખ્યા વગર ખરીદી કરો. કારણ કે તમારા પૂર્વજો નવી વસ્તુઓ જોઈને ખુશ થાય છે અને શ્રાદ્ધ કર્મનું કાર્ય પૂર્ણ થાય છે. પૂર્વજો પણ તમારી ખુશીથી ખુશ છે અને  જતી વખતે તમને સુખ, સમૃદ્ધિ અને સમૃદ્ધિથી આશીર્વાદ આપે છે.