સંબંધિત સમાચાર
- પૂજા ઘરમાં ન મુકશો આ તસ્વીર, ખૂબ અશુભ અને હાનિકારક માનવામાં આવે છે
- Tulsi Vastu Tips: આ દિવસે ઘરમાં તુલસી લગાવવાથી પ્રસન્ન થશે માતા લક્ષ્મી, ચારેબાજુથી થશે ધન વર્ષા
- Diwali 2022- દિવાળીના દિવસે કરો સાવરણીના આ ઉપાય, મહાલક્ષ્મીની થશે કૃપા
- Diwali 2022 Vastu Tips: દિવાળી પર વાસ્તુ પ્રમાણે આ રીતે તૈયાર કરો ઘર, લક્ષ્મી વરસાવશે આશીર્વાદ
- Sindoor- સિંદૂરને લઈને જાણી લો આ જરૂરી નિયમ, જરાય પણ બેદરકારી ભારે પડી શકે છે
લોટનો દીવો પ્રગટાવવાનું આ ખાસ કારણ શુ તમે જાણો છો ? આ રીતે તમને બનાવી દેશે કરોડપતિ
Astro Tips for Money: સનાતન ધર્મમાં દીવો પ્રગટાવ્યા વિના પૂજા-આરતી અધૂરી રહે છે. દરેક શુભ પ્રસંગે પણ દીવા પ્રગટાવવામાં આવે છે. વિશેષ પ્રસંગોમાં ચૌમુખી કે પંચમુખી દીવા પણ પ્રગટાવવામાં આવે છે. આ ઉપરાંત દીવામાં નાડાછડી, ખાસ વાટ કે સરસવનું તેલ વગેરેનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ માટે માટીના, પિત્તળના દીવા ઉપરાંત લોટના દીવાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક ખાસ પ્રસંગો પર લોટના દીવા પ્રગટાવવામાં આવે છે, તેની પાછળ એક ખાસ કારણ છે. જ્યોતિષ શાસ્ત્રમાં લોટનો દીવો ખૂબ જ શક્તિશાળી માનવામાં આવ્યો છે, જે જીવનની સૌથી મોટી સમસ્યાઓને દૂર કરી શકે છે. લોટનો દીવો પ્રગટાવવો એ પણ ધનવાન બનવાનો એક અસરકારક ઉપાય છે. ચાલો જાણીએ લોટનો દીવો પ્રગટાવવાની યોગ્ય રીત.
ચમત્કારિક પરિણામ આપે છે લોટનો દિવો
લોટના દીવા વિશેષ પરિસ્થિતિમા પ્રગટાવવામાં આવે છે. સામાન્ય રીતે ઈચ્છાઓની પૂર્તિ માટે લોટના દીવા પ્રગટાવવામાં આવે છે. આ માટે લોટના દીવાઓની સંખ્યા હંમેશા ઘટતા કે વધતા ક્રમમાં રાખો. ઉદાહરણ તરીકે, જો 11 દિવસ દીવા પ્રગટાવવા માંગતા હોય તો પહેલા દિવસે 11 દીવા, બીજા દિવસે 10 દીવા અને છેલ્લા દિવસે માત્ર 1 દીવો. જો તમે 1 દીવાથી પ્રગટાવવાનું શરૂ કરો છો તો છેલ્લા દિવસે 11 દીવા પ્રગટાવો. આ ઉપરાંત તમારી ઈચ્છા અનુસાર ઈષ્ટદેવની સામે દીવો પ્રગટાવો. જેમ-
- જે લોકો આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તેમણે ધનની દેવી લક્ષ્મી સમક્ષ સંકલ્પ લેવો અને 11 દિવસ સુધી વધતા કે ઘટતા ક્રમમાં લોટના દીવા પ્રગટાવો. આ સાથે, તમે થોડા દિવસોમાં તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો જોશો.
- જો તમે લોટમાં હળદર ભેળવીને તેમાંથી દીવો બનાવો અને ગાયના ઘીનો દીવો કરો તો ભગવાન વિષ્ણુ પણ તમારા પર કૃપા વરસાવે છે અને દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જાય છે. વ્યક્તિના જીવનમાં અપાર સુખ અને સમૃદ્ધિ આવે છે. આ સાથે દરેક કાર્યમાં સફળતા મળવા લાગે છે.
-જો તમે દેવાના બોજથી પરેશાન છો તો બજરંગ બલીની સામે લોટનો દીવો પ્રગટાવો. આ સાથે મિલકત સંબંધિત સમસ્યાઓનો પણ ઉકેલ આવશે.
- જો વારંવાર આર્થિક નુકસાન થતું હોય તો શનિદેવની સામે લોટનો દીવો પ્રગટાવો. તમામ અવરોધો અને નાણાકીય મુશ્કેલીઓ દૂર થશે.
- માતા અન્નપૂર્ણાની સામે લોટના દીવા પ્રગટાવવાથી ઘર ધનથી ભરાઈ જાય છે.
ચમત્કારિક પરિણામ આપે છે લોટનો દિવો
લોટના દીવા વિશેષ પરિસ્થિતિમા પ્રગટાવવામાં આવે છે. સામાન્ય રીતે ઈચ્છાઓની પૂર્તિ માટે લોટના દીવા પ્રગટાવવામાં આવે છે. આ માટે લોટના દીવાઓની સંખ્યા હંમેશા ઘટતા કે વધતા ક્રમમાં રાખો. ઉદાહરણ તરીકે, જો 11 દિવસ દીવા પ્રગટાવવા માંગતા હોય તો પહેલા દિવસે 11 દીવા, બીજા દિવસે 10 દીવા અને છેલ્લા દિવસે માત્ર 1 દીવો. જો તમે 1 દીવાથી પ્રગટાવવાનું શરૂ કરો છો તો છેલ્લા દિવસે 11 દીવા પ્રગટાવો. આ ઉપરાંત તમારી ઈચ્છા અનુસાર ઈષ્ટદેવની સામે દીવો પ્રગટાવો. જેમ-
- જે લોકો આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તેમણે ધનની દેવી લક્ષ્મી સમક્ષ સંકલ્પ લેવો અને 11 દિવસ સુધી વધતા કે ઘટતા ક્રમમાં લોટના દીવા પ્રગટાવો. આ સાથે, તમે થોડા દિવસોમાં તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો જોશો.
-જો તમે દેવાના બોજથી પરેશાન છો તો બજરંગ બલીની સામે લોટનો દીવો પ્રગટાવો. આ સાથે મિલકત સંબંધિત સમસ્યાઓનો પણ ઉકેલ આવશે.
- જો વારંવાર આર્થિક નુકસાન થતું હોય તો શનિદેવની સામે લોટનો દીવો પ્રગટાવો. તમામ અવરોધો અને નાણાકીય મુશ્કેલીઓ દૂર થશે.
- માતા અન્નપૂર્ણાની સામે લોટના દીવા પ્રગટાવવાથી ઘર ધનથી ભરાઈ જાય છે.