Vastu Tips - આ દિશામાં બેસીને પૂજા-પાઠ કરવો અશુભ માનવામાં આવે છે, ભૂલથી પણ ન કરશો આ કામ  
                                       
                  
				  				   
				   
                  				  Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં આજે આપણે જાણીશુ પૂજા કરવાની યોગ્ય દિશા વિષે.. વાસ્તુ શાસ્ત્ર મુજબ પૂજા દરમિયાન મોઢું પૂરવ કે ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. તેમાં પણ પૂર્વ દિશામાં મોઢું કરીને પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.  કારણ કે પૂર્વ દિશા શકતી અને શોર્યનું પ્રતિક છે.  વાસ્તુ શાસ્ત્રમાં પૂજા માટે પશ્ચિમની તરફ પીઠ કરીને એટલે કે પૂર્વાભિમુખ થઈને બેસવુ જ્ઞાન પ્રાપ્તિ માટે સારું માનવામાં આવે છે.  
				  										
							
																							
									  
	 
	આ દિશામાં પૂજા કરવાથી આપણી અંદર ક્ષમતા અને શક્તિનો સંચાર થાય છે. જે આપણા લક્ષ્યોને હાંસલ કરવામાં આપણા માટે સરળ બનાવે છે. આ દિશામાં પૂજા સ્થળ રાખવાથી ઘરમાં રહેતા લોકોને શાંતિ, શાંતિ, ધન, સુખ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.
				  
	 
	આ દિશામાં બનાવો પૂજાઘર 
	 
	ઘરમાં પૂજાનું સ્થાન હંમેશા ઉત્તર-પૂર્વ દિશામાં બનાવવું જોઈએ. વાસ્તુ આ દિશાને શુભ માનવામાં આવે છે. સાથે જ  ઘરની અંદર રાખવામાં આવેલા મંદિરની ઊંચાઈ તેની પહોળાઈથી બમણી હોવી જોઈએ. ઘરની અંદર પૂજા ઘર બનાવતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખો કે તેની નીચે કે ઉપર કે બાજુમાં શૌચાલય ન હોવું જોઈએ. આ સાથે ભૂલથી પણ ઘરની સીડી નીચે પૂજા ઘર ન બનાવવું જોઈએ.