ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. યોગાસન
Written By
Last Modified: મંગળવાર, 30 મે 2023 (16:01 IST)

ગરમીમાં જરૂર કરો ચંદ્ર નમસ્કાર, આખો દિવસ શરીર રહેશે ઠંડુ... વારેઘડીએ કૂલર અને ACની નહી પડે જરૂર

chandra namaskar
chandra namaskar
સૂર્ય નમસ્કાર તો શરીર માટે ખૂબ લાભકારી છે પણ ગરમીમાં કરશે ચંદ્ર નમસ્કાર તો શરીર રહેશે ઠંડુ અને શાંત 
 
યોગ કરવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. આ વાત કોઈને છિપાઈ નથી. સાથે જ અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓથી મુક્તિ મળે છે. મોટેભાગે કહેવાય છે કે યોગ કરવાથી શરીરની નાનીથી નાની બીમારી ઠીક થઈ જાય છે. માણસના શરીર માટે યોગ અસરદાર અને નેચરલ ઈલાજ છે. સૂર્ય નમસ્કારના આપણે અનેક ફાયદા અને તેનાથી થનારા લાભ વિશે વાંચ્યુ છે જોયુ છે અને સાંભળ્યુ છે. પણ શુ તમે ચંદ્ર નમસ્કાર વિશે જાણો છો જે શરીરને ઠંડુ રાખવાનુ કામ કરે છે. આ ખાસ યોગ મોટેભાગે લોકો ગરમીમા કરે છે જેથી શરીર એકદમ ઠંડુ રહે. ચંદ્ર નમસ્કાર તમને અંદરથી એનર્જીટિક રાખે છે. સાથે જ તમને અંદરથી આ શાંત, આરામ અને ક્રિએટિવ રાખે છે.  શરીરના હિસાબથી જોઈએ  તો ચંદ્ર નમસ્કાર કરવાથી રીઢ, હૈમસ્ટ્રિંગ અને પગના પાછળના ભાગને મજબૂત બનાવે છે. ફક્ત એટલુ જ નહી આ પગ,  હાથ, પીઠ અને માંસપેશીઓને મજબૂત બનાવે છે. 
  
એક્સપર્ટસ કી રાય સે ચંદ્ર ઠંડો હોય છે .તેથી ગરમીમાં ચંદ્ર નમસ્કાર જરૂર કરવો જોઈએ. આ તમારા શરીરને ઠંડુ રાખે છે. આ તમને અંદરથી સુંદર શાંત અને ઠંડુ રાખે છે. 
 
- ચદ્ર નમસ્કાર સ્પષ્ટતા લાવવામાં મદદ કરે છે અને તમારા શરીરના તાપમાનને ઠંડુ કરે છે.  તમે લાંબા સમય સુધી શ્વાસ લેવાના પેટર્ન સાથે ધીરે ધીરે હોશપૂર્વક સાત રાઉંડનો અભ્યાસ કરી શકો છો.  યોગ પ્રવાહ બધી માંસપેશીઓના સમૂહને ફેલાવે છે અને મજબૂત કરે છે. લચીલાપનમાં સહાયક છે અને શ્વાસ લેવાની પેટર્ન અને પાચનતંત્રના કામકાજ અને સંતુલનને વધારે છે. 
 
સૂર્ય નમસ્કારની તુલનામાં ચંદ્ર નમસ્કાર વધુ શાંત અને કોમલ છે.  
 
 ચંદ્ર નમસ્કાર એ સૂર્ય નમસ્કાર કરતાં વધુ સૌમ્ય અને શાંત પ્રથા માનવામાં આવે છે. ચંદ્ર નમસ્કાર તમને ઇડા નાડી ચંદ્ર ઊર્જાને ચેનલાઇઝ કરવામાં મદદ કરે છે. જે શાંત, આરામ અને સર્જનાત્મક ગુણધર્મો ધરાવે છે અને મનને પણ શાંત કરે છે. તે તમને અંદરથી શાંત પણ રાખે છે.
 
ચંદ્ર નમસ્કાર તણાવ દૂર કરે છે
 
ચંદ્ર નમસ્કાર કરવાથી તણાવ હંમેશા દૂર થાય છે. તમારું મન શાંત રહે.