રવિવાર, 27 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2016 (18:03 IST)

અજયની 'શિવાય' અને કરણની 'યે દિલ હૈ મુશ્કિલ' ને લઈને અજય અને કેઆરકે વચ્ચે વધ્યો વિવાદ

અભિનેતા અજય દેવન અને રાશિદ ખાન વચ્ચેનો વિવાદ ખતમ થવાનુ નામ નથી લઈ રહ્યો. અજય દેવગનના તમામ આરોપો પછી હવે ફિલ્મ આલોચક કમાલ રાશિદ ખાને અજય દેવગન પર પલટવાર કર્યો છે અને કહ્યુ છેકે અજયે તેમને નિર્દેશક કરણ જોહરની એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મની આલોચના કરવા માટે પૈસા આપ્યા હતા ન કે કરણે શિવાયની આલોચના કરવા માટે. 
 
ઉલ્લેખનીય છે કે અજય દેવગને આરોપ લગાવ્યો છે કે કરણ જોહરે શિવાયની આલોચના માટે કમાલ ખાનને લાંચ આપી હતી. આ વાત મીડિયામાં ત્યારે આવી જ્યારે અજય દેવગન ટીમના પ્રવક્તાએ પ્રેસ રિલીઝ કરીને કમાલ પર રૂપિયા આપવાનો આરોપ લગાવ્યો હતો. 
 
ઉલ્લેખનીય છે કે અજયની શિવાય અને એ દિલ હૈ મુશ્કિલની આવત મહિને દિવાળી પર ટક્કર થવાની છે. બંને મોટી ફિલ્મો છે. ઉલ્લેખનીય છે કે બંને નિર્દેશક જ પોત પોતાની ફિલ્મોને લઈને ઈનસિક્યોર થઈ રહ્યા હશે. 
 
વાત ત્યારે વધી ગઈ જ્યારે અજય દેવગને એક ઑડિયો શેર કર્યો જેમા કેઆરકે ને એ કહેતા સાંભળવા મળ્યા કે કરણે 'શિવાય' વિરુદ્ધ ટ્વીટ કરવા માટે તેમને પૈસા આપ્યા હતા. ઓડિયોમાં તેની ચોખવટ થઈ નથી. 
 
આ ઓડિયોની રેકોર્ડિંગ 'શિવાય'ના નિર્માતા કુમાર મંગતે કરી છે.  પોતની પ્રતિક્રિયા આપતા કેઆરકે એ ટ્વીટ કર્યુ, 'હુ આને સ્પષ્ટ કરુ છુ. કરણ જોહરે મને ક્યારેય કોઈ પૈસા આપ્યા નથી કે 'શિવાય'ની આલોચના કરવાનુ કહ્યુ નથી અને તમે આને ટેપમાં સાંભળી શકો છો.  મે કુમારને ગભરાવવા માટે 25 લાખ રૂપિયા કહ્યુ.'
 
એક અન્ય પોસ્ટમાં તેમણે કુમાર અને સિંઘમના અભિનેતા પર આરોપ લગાવતા લખ્યુ છે કુમાર અને અજયે એ દિલ હૈ મુશ્કિલની આલોચના કરવા માટે પૈસાનો પ્રસ્તાવ આપ્યો હતો સાથે જ ટેપમાં પણ તેઓ આની રજુઆત કરી રહ્યા છે પણ મે તેને અસ્વીકાર કરી દીધી. મે તેમણે કહ્યુ કે હુ આવુ સ્વતંત્ર થઈને કરીશ. 
 
પછી કમાલ ખાને ટ્વીટ કરીને કહ્યુ છે લોકો વિચારી રહ્યા છે કે મે કુમાર મંગતને ફોન કર્યો પણ આ સાચુ નથી. હકીકતમાં તેઓ મારા નિકટના મિત્ર છે અને તેમણે મને ફોન કર્યો હતો અને તેમણે મને પહેલા પણ અનેકવાર ફોન કર્યો છે. કરણ આ મુદ્દા પર ચુપ છે જ્યારે કે અજય દેવગને પહેલા જ નિવેદન આપી દીધુ છે જેમા તેમણે એ તાપસ કરવાની માંગ કરી છે કે ફિલ્મ નિર્માતાએ કેઆરકે ને લાંચ આપી છે કે નહી.