1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: હૈદરાબાદ. , મંગળવાર, 11 મે 2021 (07:52 IST)

આંધ્ર પ્રદેશ - ઓક્સીજન પહોંચવામાં થોડુ મોડુ થયુ અને 11 દરદીઓએ તોડ્યો દમ

આંધ્ર પ્રદેશના તિરુપતિ  (Tirupati)માં ઓક્સિજન મળવામાં મોડુ થતા ઓછામાં ઓછા 11 દરદીઓના મોત થયા. એવુ બતાવાય રહ્યુ છેકે ગેસ ટૈકર (Oxygen Crisis)ના  પહોંચવામાં થોડી મિનિટોનુ મોડુ થયુ હતુ, જેને કારને શ્રી વૈકટેશ્વર રામનારાયણ રુઈયા સરકારી હોસ્પિટલમાં સોમવારે આ ઘટના બની. આ પહેલા રાજ્યના મુખ્યમંત્રી વાઈએસ જગનમોહન રેડ્ડી (YS Jagan Mohan Reddy) એ કોવિડની સ્થિતિ જોતા એક સમીક્ષા બેઠક બોલાવી હતી 
 
મીડિયા રિપોર્ટ અનુસાર જિલ્લા કલેકટર એમ હરિ નારાયણે માહિતી આપી હતી કે ઓક્સિજન સપોર્ટ ટ્રીટમેન્ટ લઈ રહેલા 11 દર્દીઓનું મોત નીપજ્યું છે. તેમણે જણાવ્યું હતું કે તિરૂપતિ, ચિત્તૂર, નેલ્લોર અને કડાપાની હોસ્પિટલોમાં લગભગ એક હજાર કોવિડ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આંધ્રપ્રદેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ચેપના 13 લાખથી વધુ કેસ આવી ચુક્યા છે. 
 
હોસ્પિટલમાં થઈ તોડફોડ 
 
સૂત્રોના જનાવ્યા મુજબ  અધિકારીઓએ માહિતી આપી છે કે રાત્રે 8:30 વાગ્યા પછી ઓક્સિજન પ્રેશર ઘટવાનું શરૂ થયું. સપ્લાય ફરીથી ચાલુ કરવામાં આવે તે પહેલાં થોડાક જ  મિનિટમાં દર્દીઓ મૃત્યુ પામ્યા. આને કારણે ગુસ્સે ભરાયેલા પરિજન કોવિડે ICUમાં ઘુસી આવ્યા.  આ સમય દરમિયાન તેમણે ઘણા ટેબલો ઉંઘા કરી નાખ્ય અને ઉપકરણોને નુકસાન પહોંચાડ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આઇસીયુમાં હાજર નર્સ અને ડોકટરો પોતાની સુરક્ષાને જોતા ત્યાથી ભાગ્યા અને પોલીસ આવ્યા પછી જ પરત આવ્યા. 
આંધ્ર પ્રદેશ - ઓક્સીજન પહોંચવામાં થોડુ મોડુ થયુ અને 11 દરદીઓએ તોડ્યો દમ 
 
હૈદરાબાદ. આંધ્ર પ્રદેશના તિરુપતિ  (Tirupati)માં ઓક્સિજન મળવામાં મોડુ થતા ઓછામાં ઓછા 11 દરદીઓના મોત થયા. એવુ બતાવાય રહ્યુ છેકે ગેસ ટૈકર (Oxygen Crisis)ના  પહોંચવામાં થોડી મિનિટોનુ મોડુ થયુ હતુ, જેને કારને શ્રી વૈકટેશ્વર રામનારાયણ રુઈયા સરકારી હોસ્પિટલમાં સોમવારે આ ઘટના બની. આ પહેલા રાજ્યના મુખ્યમંત્રી વાઈએસ જગનમોહન રેડ્ડી (YS Jagan Mohan Reddy) એ કોવિડની સ્થિતિ જોતા એક સમીક્ષા બેઠક બોલાવી હતી 
 
મીડિયા રિપોર્ટ અનુસાર જિલ્લા કલેકટર એમ હરિ નારાયણે માહિતી આપી હતી કે ઓક્સિજન સપોર્ટ ટ્રીટમેન્ટ લઈ રહેલા 11 દર્દીઓનું મોત નીપજ્યું છે. તેમણે જણાવ્યું હતું કે તિરૂપતિ, ચિત્તૂર, નેલ્લોર અને કડાપાની હોસ્પિટલોમાં લગભગ એક હજાર કોવિડ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આંધ્રપ્રદેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ચેપના 13 લાખથી વધુ કેસ આવી ચુક્યા છે. 
 
હોસ્પિટલમાં થઈ તોડફોડ 
 
સૂત્રોના જનાવ્યા મુજબ  અધિકારીઓએ માહિતી આપી છે કે રાત્રે 8:30 વાગ્યા પછી ઓક્સિજન પ્રેશર ઘટવાનું શરૂ થયું. સપ્લાય ફરીથી ચાલુ કરવામાં આવે તે પહેલાં થોડાક જ  મિનિટમાં દર્દીઓ મૃત્યુ પામ્યા. આને કારણે ગુસ્સે ભરાયેલા પરિજન કોવિડે ICUમાં ઘુસી આવ્યા.  આ સમય દરમિયાન તેમણે ઘણા ટેબલો ઉંઘા કરી નાખ્ય અને ઉપકરણોને નુકસાન પહોંચાડ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આઇસીયુમાં હાજર નર્સ અને ડોકટરો પોતાની સુરક્ષાને જોતા ત્યાથી ભાગ્યા અને પોલીસ આવ્યા પછી જ પરત આવ્યા.