શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : બુધવાર, 3 જુલાઈ 2024 (18:34 IST)

Team India Return- ટીમ ઈન્ડિયા ટ્રોફી સાથે બારબાડોસથી દિલ્હી માટે રવાના થઈ

Indian Team, Worldcup
બારબાડોસથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 4 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમને મળશે. હરિકેન બેરીલના કારણે ટીમ ઈન્ડિયા છેલ્લા બે દિવસથી બાર્બાડોસમાં ફસાઈ ગઈ હતી.
 
ટીમ ઈન્ડિયાને લેવા માટે સ્પેશિયલ ફ્લાઈટ બારબાડોસ પહોંચી ગઈ છે અને હવે ખેલાડીઓ પણ રવાના થઈ ગયા છે. આને લઈને, કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને યુઝવેન્દ્ર ચહલ સહિત ઘણા ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર અપડેટ્સ શેર કર્યા.
 
રોહિત અને સૂર્યાએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે.
 
ટીમ ઈન્ડિયા 4 જુલાઈએ ભારત પરત ફરી રહી છે. ટીમ મંગળવારે બાર્બાડોસથી રવાના થશે અને બુધવારે દિલ્હી પહોંચશે.
 
T20 વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમ મંગળવારે સાંજે ચાર્ટર પ્લેન દ્વારા વતન જવા રવાના થશે. બાર્બાડોસના વડા પ્રધાન મિયા મોટલીએ જણાવ્યું હતું કે તેમને અપેક્ષા છે કે અહીંનું એરપોર્ટ, જે કેટેગરી ચાર વાવાઝોડાને કારણે બંધ કરવામાં આવ્યું હતું, તે "આગામી છ થી 12 કલાક" માં કાર્યરત થઈ જશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ, તેનો સપોર્ટ સ્ટાફ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના કેટલાક અધિકારીઓ અને ખેલાડીઓના પરિવારો ચક્રવાત બેરીલના કારણે છેલ્લા બે દિવસથી અહીં ફસાયેલા છે.