Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્તનોને સ્વસ્થ રાખવા માટે મહિલાઓ દરરોજ કરવુ આ આસનનો અભ્યાસ

રવિવાર, 2 મે 2021 (08:56 IST)
ત્રિકોણાસન કરતા શરીરની મુદ્રા ત્રિકોણની સમાન જોવાય છે. તેથીઆ આસનનો નામકરણ કરાયુ છે. ત્રિકોણાસન મહિલાઓ માટે ખૂબ જરૂરી અને લાભકારી આસન છે. વધતી છોકરીઓને આ આસનનો અભ્યાસ જરૂર કરવો જોઈએ. તેનાથી તેને ખૂબ ફાયદો પહોચાડે છે. બીજા લોકો માટે પણ ત્રિકોણાસન કરવુ ખૂબ ફાયદાકારી છે. તેનાથી ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે. આવો જાણીએ ત્રિકોણાસન કરવાનો સાચી રીતે અને તેનાથી થતા લાભ 
ત્રિકોણાસન કરવાની રીત
-સીધા ઉભા થઈને તમારા પગના વચ્ચે થોડી દૂરી બનાવી લો. સુનિશ્ચિત કરો કે તમારા પંજા જમીનને દબાવતા રહેવું અને શરીરનો ભાર બન્ને પગ પર સમાન રૂપથી હોય. ત્યારબાદ તમારી બાજુને શરીરથી દૂર ખભા સુધી ફેલાવો. શ્વાસને અંદર લેતા જમણા હાથને ઉપર ઉઠાવીને કાનથી ચિપકાવી દો. હવે ડાબા પગને બહારની તરફ વળી લો. હવે શ્વાસને બહાર છોડતા કમરથી ડાબી બાજુ તરફ વળવું. ઝુકતા સમયે તમારા ઘૂંટણ ન વળવું અને જમણા હાથ કાનથી ચિપકાવીને રાખવું. હવે તમારા જમણા હાથને જમીનના સમાંતર લાવવાના પ્રયાસ કરો અને તમારા ડાબા હાથથી ડાબા ઘૂટણને અડવાની કોશિશ કરવી. આ મુદ્રામાં 20 થી 30 સેકંડ સુધી રહેવું. 
 
લાભ 
- ત્રિકોણાસનના નિયમિત અભ્યાસથી પાચનતંત્ર સુધરે છે. 
- મહિલાઓ જો તેનો સાચી રીતે અભ્યાસ કરે છે તો તેમના સ્તન સ્વસ્થ રહે છે.
- તનાવ અને અવસાદથી છુટકારો મેળવવામાં પણ ત્રિકોણાસન ખૂબ પ્રભાવશાળી છે. 
- કમરના દુખાવા દૂર કરવા માટે પણ આ આસનને કરાય છે. 
- હાથ, પગ અને ઘૂંટણને મજબૂત કરવા માટે પણ આ આસનનિ અભ્યાસ કરાય છે. 
 
સાવધાનીઓ 
- જો તમને માઈગ્રેનની સમસ્યા છે તો આ આસન ન કરવું. 
- ડાયરિયામાં પણ ત્રિકોણાસન કરવુ યોગ્ય નથી.
- ઉચ્ચ કે નિમ્ન રક્તચાપના સમયે યોગ પ્રશિક્ષકની સલાહ વગર આ આસનનો અભ્યાસ ન કરવું.  
 
 
 

વધુ જુઓ..

IND vs PAK: FIH Pro League 2026 ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને 4-3 થી હરાવ્યું

મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડનારા બળવાખોર સાંસદ ઓમરાજે નિમ્બાલકરે બતાવ્યું પક્ષ બદલવાનું કારણ, . જાણો તેમણે શું કહ્યું.

મંગેતર સિયા અને તેના પ્રેમીએ કેતનની હત્યા કેવી રીતે કરી? પોલીસે સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે, વધુ જાણો અહીં.

1 જુલાઈથી, ટિકિટ વિના મુસાફરી કરવી મોંઘી પડશે, 500 દંડ સાથે; બીજાની ટિકિટ પર મુસાફરી કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે

દિલ્હી-એનસીઆરમાં ધૂળની વાવાઝોડાએ જોરદાર ગરમીથી થોડી રાહત આપી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 જૂન 2026

શુભ પ્રસંગોએ જતા પહેલા લોકોને દહીં અને ખાંડ કેમ ખવડાવવામાં આવે છે? આ નાની પરંપરા પાછળનું રહસ્ય જાણો.

Chaturmas 2026 Date : ચતુર્માસ ક્યારથી લાગી રહ્યો છે, જાણો શાસ્ત્રોમાં તેની શુ છે માન્યતા

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

આગળનો લેખ
Show comments