Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ તમને પણ ગરમીમા થાય છે શરદી-ખાંસી ? પહેલા જાણી લો અસલી કારણ અને પછી કરો ઉપાય

બુધવાર, 10 મે 2023 (13:38 IST)
ગરમીમાં શરદી કેમ થાય છે. ગરમી વધવાની સાથે અચાનક લોકોમાં શરદી-ખાંસીની સમસ્યા વધી જાય છે. પણ શુ તમે વિચાર્યુ છે કે આ સમસ્યા આટલી ઝડપથી કેમ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે મેડિકલ ટર્મમાં તેને સમર કોલ્ડ(summer cold and cough)  કહે છે.  આ એંટરોવાયરસ (Enteroviruses)ને કારણે થઈ રહ્યુ છે જે કે આ ઋતુની સંક્રામક બીમારીનુ રૂપ લઈ લે છે. આ ઉપરાંત તેની પાછળ અનેક કારણ છે, તો આવો જાણીએ એ બધા વિશે વિસ્તારથી 
 
મે મહિનામાં શરદી-તાવનુ કારણ - Summer cold causes  
 
1. વાયરલ શિફ્ટના કારણે - Due to viral shift
 જેવી જ ઋતુ ગરમ થાય છે કે મોટાભાગના શરદી પેદા કરનારા વાયરસ શિફ્ટ થઈ જાય છે. એંટરોવાયરસ પણ તેમાથી એક છે. આ વાયરસ ગરમીમાં શરદી થવાનુ મુખ્ય કારણ બને છે. ઉપરી શ્વાસ સાથે જોડાયેલ નળીઓમાં ઈફ્કેશનનુ કારણ બની જાય છે.  જેનાથી આપણુ નાક વહેવા માંડે છે અને ગળામાં ખરાશ થઈ જાય છે. આ ઉપરાંત કેટલાક લોકોમાં આ પેટની સમસ્યાઓને ટ્રિગર કરે છે. 
 
2. શરદી-ગરમીના કારણે  
શરદી ગરમીના કારણે પણ લોકો આ ઋતુમાં શરદી ખાંસીના શિકાર થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે આ તાપમાનમાં થનારા ફેરફાર અને ગેપને કારણે થાય છે. જેવુ કે બહારનુ કંઈક બીજુ અને તમારા શરીરની અંદર કંઈક બીજુ.  આવી સ્થિતિમાં આપણે લાંબા સમય સુધી શરદી-ખાંસીના શિકાર રહી શકીએ છીએ કે પછી તમને આ સમસ્યા વારેઘડીએ થઈ શકે છે 
 
ગરમીમાં શરદી-ખાંસીથી કેવી રીતે કરશો બચાવ 
 
- ગરમીમાં શરદી-ખાંસીથી બચવુ છે તો ઘરની બહારથી આવીને તરત જ ઠંડુ પાણી ન પીશો 
- તાપ અને ગરમીમાંથી આવીને ન્હાવુ ન જોઈએ. 
 - ઘરની બહાર માથુ ઢાંકીને જ નીકળો, જેથી તડકો ડાયરેક્ટ માથા પર ન પડે. 
 - રહી રહીને પાણી પીતા રહો જેથી તમે ડિહાઈડ્રેશનના શિકાર ન બનો. 
 - ડાયેટમાં પાણીથી ભરપૂર ફુડ્સનુ વિશેષ ધ્યાન રાખો. 
 
તો આ રીતે પહેલા તો ગરમીમાં શરદી- તાવથી બચો. ત્યારબાદ જો થઈ જાય તો પુષ્કળ પાણી પીવો અને ડોક્ટરને બતાવીને યોગ્ય દવાઓ લો. 

વધુ જુઓ..

Salary Hike New Update: પગારમાં 7% વધારો, $1.5 ટ્રિલિયનનું રોકાણ કરવામાં આવશે. જાણો ટ્રમ્પે સંરક્ષણ બજેટમાં કેટલો વધારો કર્યો છે

બેંગલુરુ ક્રાઈમ - પ્રપોઝલનાં નામે હેવાનિયત, પ્રેમિકાએ પ્રેમીને બાંઘીને જીવતો સળગાવ્યો - વિડીયો કર્યો રેકોર્ડ

Iran-US Ceasefire Live Update: "ઈરાન-અમેરિકા વચ્ચે સીઝફાયર ચાલુ રહેશે" : ટ્રમ્પે કરી જાહેરાત

ગુજરાત ATSની મોટી કાર્યવાહી: ભારતમાં 'ગઝવા-એ-હિન્દ' સ્થાપવાનું ષડયંત્ર નિષ્ફળ, સિદ્ધપુર અને મુંબઈથી બે યુવકો ઝડપાયા

કોંગ્રેસ અધ્યક્ષ ખડગે એ PM મોદીને કહ્યા આતંકવાદી, પછી કરી ચોખવટ

વધુ જુઓ..

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

શ્રી ખોડિયાર ચાલીસા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 એપ્રિલ

મંગળવારે મૃગશિરા નક્ષત્રમાં કરો આ ઉપાયો, ધન-ધાન્ય અને માન-સન્માનની થશે પ્રાપ્તિ

આગળનો લેખ
Show comments