શનિવાર, 26 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 9 જાન્યુઆરી 2017 (17:54 IST)

6ઠ્ઠો સોલર કુલર ઈંટરનેશનલ(SCI) વર્લ્ડ કોન્ફ્રેંસ 16 થી18 જાન્યુઆરી સુધી વડોદરામાં

6ઠ્ઠો સોલર કુલર ઈંટરનેશનલ(SCI) વર્લ્ડ કોન્ફ્રેંસ 16 થી18 જાન્યુઆરી સુધી વડોદરામાં ખાતે યોજાશે 

તાંઝાનિયાની ગ્રામીણ મહિલાઓ નેપાળી ગ્રામીણ સ્ત્રીઓ, ભારતના મંદિરો, દક્ષિન ફ્રાંસના રેસ્ટોરંટ ચિયાપાસમા સ્વદેશી પરિવારો દ્વારા સંચાલિત તાજા ચીઝની ડેરીઓમા બાગ્લાદેશના માછીમારો ઈથિયોપીયન શરણાર્થી કેમ્પમાં જાપાની સંસ્થા દ્વારા કામ અને સોલર કુકર્સ ઈંટરનેશનલ સેક્રામેન્ટો કેલિફોર્નિયામાં શુ સામાન્ય છે ?
 
2017માં આ બધા તેમની સૌરઊર્જા સાથે રસોઈ કરવાની કુશળતાનું નિર્દેશન/પ્રદર્શન કરશે 
 
જુલી ગ્રીન SCI ની એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનુ કહેવુ છે . કલ્પના કરો કે એક સ્ત્રી લાકડાની આગ પર તેના પરિવાર માટે ભોજન બનાવે છે ત્યારે ભોજન બનાવતા જે ઝેરી ધુમાડો નીકલે છે તે સ્ત્રીના શ્વાસમાં જાય છે અને આ જ ઝેરી ધુમાડો તેના બાળકોના શ્વાસમાં પણ જાય છે. જે 400 સિગરેટ દર કલાકે ફુંકવા બરાબર છે. 
 
જ્યારે તમે તેની આજ રોજની પ્રવૃત્તિનો ગુણાકાર અબજ રસોઈઓ સાથે કરશો ત્યારે તેમની સોર ઉર્જા દ્વારા ભોજન બનાવવાથી જીવનમાં થતા પરિવાર્તનનો ખ્યાલ આવશે
 
મધ્ય પ્રદેશમાં 500 કરતા વધુ સોલર કુકર્સ વપરાય છે જે મહિલાઓ સોલર કુકર વાપરે છે તે નવી ટેકનોલોજીના સંશોધકો છે અને તેઓ તેમના પરિવારના જીવનમાં પરિવર્તન લાવે છે - ડો જનક મેકગીલ્લીંગ 
 
તાંઝાનિયામા જ્યા એક દિવસના યુએસડ ના 2ડોલર કરતા પણ ઓછુ કમાતા અને જે સ્ત્રીઓ પાસે સોલાર કુકર છે એ એવુ જણાવે છે કે સોલાર કુકરના વપરાશથી કોલસાના વપરાશમાં 45 ટકા જેટલો ઘટાડો કર્યો છે. તેવી જ રીતે લાકડાના અને કેરોસીનના વપરાશમાં 41 ટકા જેટલો અને એલપીજીના વપરાશમાં 32 ટકા જેટલો ઘટાદો થયો છે.  તેમને અને તેમના કુંટુંબના કોઈપણ સભ્યને કોઈપણ જાતની સ્વાસ્થ્યની બીમારી રહી નથી.  જ્યારથી તેમને સોલર કુકરન ઉપયોગ શરૂ કર્યો છે.  તેઓ પહેલા કરતા વહ્દુ વખત તેમના પીવાના પાણીને ગરમ કરી શકે છે.  ગરીબ વિસ્તારમાં રહેતી મહિલાઓ ખૂબ જ ઉત્સાહી પણ છે. કારણ કે સોલાર કુકરથી તેમની રસોઈના બળતણનો ખર્ચ 36 ટકા ઘટ્યો છે. 
 
વિશ્વમા કોઈપણ જગ્યાએ સોર ઊર્જાના ઉપયોગથી રસોઈ અને પીવાનુ પાણી શુદ્ધ કરી શકાય છે. સોલાર કુકરમાં સૂર્ય પ્રકાશની ગરમીનો ઉપયોગ કરી રસોઈ ખાદ્ય પદાર્થની સુકાવણી અને પાણીને શુદ્ધ કરી શકાય. 
 
SCI ની આ કોંફરંસ માટે ભારતને પસંદ કરવામાં આવ્યુ છે. કારણ કે ભારત આ વિષયમાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યુ છે. સરકારે 30000 કરોડની યોજના સામે મુકી છે કે જેનાથી લગભગ પાંચ લાખ ગ્રામ્ય વિસ્તારને આવેલી સ્કુલોમાં બનાવવામાં આવતુ ભોજનને સૌર ઊર્જાથી પકાવવાનો પ્રસ્તાવ છે.