Last Modified: કોલ્હાપુર , મંગળવાર, 15 એપ્રિલ 2008 (17:49 IST)
કોલ્હાપુર જિલ્લામાં પથ્થરમારો
કોલ્હાપુર. મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના નવે પરગાંવમાં બાબા સાહેબ આંબેડકર જયંતીના સહરઘસ બાદ એક ટોળાંએ વિશેષ સમુદાયના મકાનો પર પથ્થરમારો ચલાવતાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. ઉશ્કેરાયેલા ટોળાંએ મકાનોની સામે મુકેલા વાહનોની તોડફોડ મચાવી હતી.
આ પથ્થરમારામાં 10થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. બનાવ અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બળપ્રયોગ કરીને ટોળાં વિખેર્યા હતા.