અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટીક પાર્ટીનાં ઉમેદવાર બરાક ઓબામાએ આઉટ સોર્સીંગનાં વિરૂધ્ધ ફરી એક વક્તવ્ય આપી જણાવ્યું હતું કે તેમની પ્રાથમિકતા અમેરિકાનાં નાગરિકોને નોકરી આપવાની રહેશે.
થાઈલેન્ડનાં વડાપ્રધાન સમક સુંદરાવેઝએ વિરોધ પક્ષોનાં વ્યાપક વિરોધ છતાં પોતાનાં પદથી રાજીનામું આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. તેમજ સંસદભંગ કરવાની ભલામણ નહીં કરે.
તાલીબાનનાં કુખ્યાત આતંકવાદી અલકાયદાનાં બીજા નંબરનાં પ્રમુખ સદસ્ય અયમાન અલ જવાહિરીનાં રહેઠાણની પાકી માહિતી છતાં પાકિસ્તાનની સેના તેને પકડવામાં નિષ્ફળ રહી હોવાનાં સમાચાર પ્રાપ્ત થયાં છે.
કેટલાંક વૈજ્ઞાનિકોએ 10 સપ્ટેમ્બરે ફ્રાંસ અને સ્વીત્ઝરલેન્ડની સીમા પર જમીનનાં પેટાળમાં 100 મીટર નીચે શરૂ થવા જઈ રહેલી લાર્જ હેડ્રાન કોલાઈડર(એલએચસી) ટ્રેનને બંધ કરવાનાં પ્રયત્નો શરૂ કરી દીધા છે. તેમનું માનવું છે કે આ બ્લેક હોલ બનવાથી સંપૂર્ણ ...
શ્રીલંકાનાં ફાયટર પ્લેન અને હેલીકોપ્ટરોએ ગઈકાલે તામિલ વિદ્રોહી સંગઠન એલટીટીઈનાં અડ્ડા પર બોમ્બમારો કર્યો હતો. આ સંઘર્ષમાં ઓછામાં ઓછા 84 લોકોનાં મોત થયાં છે.
થાઈલેન્ડનાં પ્રધાનમંત્રીએ ગઈકાલે રાત્રે સરકાર વિરોધી તથા સમર્થનમાં થઈ રહેલા પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલા સંઘર્ષ બાદ રાજધાની બૈંકોકમાં અનિશ્ચિતકાળ સુધી ઈમરજન્સી લગાવી દીધી છે.
નેપાળનાં પ્રધાનમંત્રી પુષ્પ કમળ પ્રચંડે સોમવારે તેના મંત્રીમંડળનો વિસ્તાર કર્યો હતો. જેમાં વધુ 15 મંત્રીઓને પદ અને ગોપનીયતાની શપથ લેવડાવ્યા હતાં. આમ, તેમનાં મંત્રીમંડળની સંખ્યા વધીને 24ની થઈ છે. જેમાં ત્રણ ઉપવડાપ્રધાનનો સમાવેશ થાય છે.
નેપાળે આજે કોસી નદીમાં પાણી છોડ્યા હોવાનું વાતનું ખંડન કર્યું છે. તેમણે સ્પષ્ટ કર્યુ છે કે તેમનાં પાણી છોડવાથી બિહારમાં પૂર આવ્યું નથી. પણ કોસી બંધ તુટી જવાથી બિહારમાં પાણી આવ્યું છે. તેમજ ભારત સરકારની બેદરકારીને કારણે લાખો લોકો બેઘર થઈ ગયા છે.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પદની આશાના રૂપમાં પીપીપી સહ-અધ્યક્ષ આસિફ અલી ઝરદારીનુ નામ સામે આવ્યા પછી ભુટ્ટો પરિવારના એક વરિષ્ઠ સદસ્યએ આને પરિવાર અને દેશને માટે રજૂ થયેલ એક નવી દુર્ઘટના જણાવી છે.
બેનઝીરની હત્યા બાદ પાર્ટીનાં સર્વેસર્વા બની ગયેલા આસીફ ઝરદારી હવે રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યાં છે. અને, તેના માટે તે બેનઝીરનાં ભરોસેમંદ એવા સાંસદોને એક પછી એક હટાવી રહ્યાં છે.
પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની ન્યાયાધીશોને બહાલ કરવાની માંગ ઝરદારી સરકાર ધીમે ધીમે પુરી કરી રહ્યું છે. જેમાં સરકારે વધુ 4 ન્યાયાધીશોની ફરીથી નિમણુંક કરી છે.
પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન અને પીએમએલ-એનનાં પ્રમુખ નવાઝ શરીફે પીપીપી સાથે કોઈ સમજૂતિ કરવાની સંભાવનાથી ઈન્કાર કર્યો છે. તેમણે વર્તમાન સરકાર પર આરોપ લગાવ્યો છે કે તે પ્રજાની મુશ્કેલી દૂર કરવામાં નાકામ કરી છે. તેમજ હજી તેઓ બરખાસ્ત જજોને બહાલ કરવાની ...