રાજકોટ વનડેની બધી ટીકિટો ખરીદીને હાર્દિક પટેલ કરશે પ્રદર્શન
પાટીદાર નેતા હાર્દિક પટેલે પોતાના સમર્થકોને રાજકોટમાં ભારત-દક્ષિણ આફ્રિકાની વચ્ચે રમાનારી મેચની બધી ટિકીટો ખરીદવા માટે કહ્યુ છે. હાર્દિકે એલાન કર્યુ કે રાજકોટ વનડે મેચની બધી ટિકિટો પાટીદાર ખરીદશે અને મેચ દરમિયાન પ્રદર્શન કરશે.
માહિતી મુજબ આ પ્રદર્શન માટે કાયદેસર ઝંડા બેનર પણ લાવવામાં આવશે અને પોતાના સમર્થકો સાથે ત્યા હાર્દિક પટેલ પણ હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે ભારત પ્રવાસ પર આવેલ દક્ષિણ આફ્રિકા ટીમ વિરુદ્ધ ટીમ ઈંડિયા પોતાની ત્રીજી વનડે રાજકોટમાં 18 ઓક્ટોબરના રોજ રમશે.