શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By હેતલ કર્નલ|
Last Modified: શુક્રવાર, 25 નવેમ્બર 2022 (11:32 IST)

450 કિમી દૂર કચ્છથી દ્રારકાધીશના દર્શન માટે પગપાળા આવી 25 ગાયો, અડધી રાત્રે ખોલ્યા મંદિરના કપાટ

કચ્છ અને દ્વારકાની ગૌમાતાની એક અનોખી ઘટના સામે આવી છે. અહીં દ્વારકાધીશના પરમ ભક્ત 25 ગાયો સાથે કચ્છથી 450 કિલોમીટર દૂર દ્વારકા સ્થિત કાળિયા ઠાકોર પહોંચ્યા હતા. એટલું જ નહીં જ્યારે મહાદેવ દેસાઈ નામના વ્યક્તિ 25 ગાયો સાથે અડધી રાત્રે દ્વારકામાં પ્રવેશ્યા ત્યારે આ ગાય માતાઓ માટે મંદિરના દરવાજા પણ ખોલી દેવામાં આવ્યા હતા.
 
દ્વારકાધીશના શરણમાં શીશ ઝુકાવવા પહોંચ્યા
કચ્છના રહેવાસી મહાદેવભાઈ દેસાઈએ માનતા રાખી હતી કે 'હે દ્વારકાધીશ... મારી ગાયોને લમ્પી વાઈરસથી બચાવો' જેથી તેમની 25 ગાયો લમ્પી વાયરસથી પીડાય નહીં અને સુરક્ષિત રહે. હું મારી ગાયોને દર્શન કરવા પગપાળા તમારા દરવાજે લાવીશ...' અને પછી એવું જ થયું... ભગવાન દ્વારકાધીશે મહાદેવભાઈની વાત સ્વીકારી લીધી... અને ભગવાને માનતા સાંભળતાં જ ગાયો સ્વસ્થ થઈ ગઈ. ત્યારબાદ મહાદેવભાઈએ તેમની ગાયો સાથે તેમની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે દ્વારકાધીશના આશ્રયમાં માથું નમાવવા માટે કચ્છથી 450 કિલોમીટરનો પ્રવાસ કર્યો.
 
દ્વારકાધીશ મંદિરમાં આ પ્રકારની ઘટના પ્રથમવાર બની
જ્યારે મહાદેવભાઈ તેમની ગાયો સાથે દ્વારકા પહોંચ્યા ત્યારે મધ્યરાત્રિમાં ભગવાનના દર્શન કેવી રીતે કરવા તે પ્રશ્ન હતો... જો કે મંદિરમાં દિવસ દરમિયાન ભીડ હોય છે. અહીં ઘણી બધી ગતિવિધિઓ થાય છે અને આ ગાયોને દિવસ દરમિયાન કેવી રીતે અંદર લઈ જઈ શકાય. આ બધા વિચારો સાથે મંદિર પ્રશાસને પણ 33 કરોડ દેવી-દેવતાઓને સ્થાન આપતી માતા ગાયને રાત્રિના દર્શન આપવાનો નિર્ણય કર્યો અને તેમના દર્શન માટે દ્વારકાધીશના મંદિરના દરવાજા રાત્રે ખોલવામાં આવ્યા. મધ્યરાત્રિએ પહેલીવાર દ્વારકાધીશના મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હોવાનું પ્રથમ વખત બન્યું હતું. અને આ દ્રશ્ય જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. દ્વારકાધીશ અને ગાયો પ્રત્યેના ભક્ત મહાદેવભાઈનો અપાર પ્રેમ જોઈ સૌ અભિભૂત થઈ ગયા.
 
17 દિવસનું અંતર કાપીને દ્વારકા પહોંચ્યા
આ ઘટના 21 નવેમ્બરે દ્વારકામાં બની હતી. મહાદેવભાઈ 25 ગાયો અને 5 ગોવાળો સાથે પગપાળા કચ્છથી નીકળ્યા. તેઓ 17 દિવસ સુધી દરરોજ સરેરાશ 27 કિલોમીટરનું અંતર કાપીને દ્વારકા આવ્યા હતા. ત્યારે આ ઘટના સાંભળનાર અને જોનાર દરેક લોકો તેને ચમત્કાર ગણાવી રહ્યા છે. દ્વારકાધીશ મંદિરના ઈતિહાસમાં પ્રથમ વખત આ ઘટના બની હતી અને વહીવટીતંત્રે ગાયો માટે મંદિરના દરવાજા ખોલી દીધા હતા અને ગૌધન માટે સારું કામ કરનારા લોકોની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે લમ્પી વાઈરસનો પ્રકોપ થયો ત્યારે મહાદેવભાઈની એક પણ ગાયનું મૃત્યુ થયું ન હતું અને આ ગાયોને કોઈ રોગ થયો ન હતો.