બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 20 જાન્યુઆરી 2015 (16:59 IST)

રોડ શો માં વધુ ભીડ હોવાથી કેજરીવાલ ઉમેદવારીપત્ર ન ભરી શક્યા

આમ આદમી પાર્ટીના સંયોજક અને પાર્ટીની તરફથી સીએમ કેંડિડેટ અરવિંદ કેજરીવાલ આજે રોડ શો માં વધુમાં ભીડ હોવાને કારણે નામાંકન દાખલ ન કરી શક્યા. માહિતી મુજબ કેજરીવાલ આવતીકાલે નવી દિલ્હીથી નામાંકન ભરીશુ. 
 
રોડ શો માટે રવાના થતા પહેલા કેજરીવાલે આજે નવી દિલ્હીના મંદિર માર્ગ સ્થિત વાલ્મીકિ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આમ આદમી પાર્ટીએ કેજરીવાલના આ રોડ શો ને નોમિનેશન માર્ચનુ નામ આપ્યુ હતુ. કેજરીવાલના રોડ શો માં મોટી સંખ્યામાં આપ કાર્યકર્ત્તાઓ હાજર હતા. જે નાચતા ગાતા અને નારા લગાવતા આગળ વધી રહ્યા હતા. 
 
રોડ શો દરમિયાન તેમણે કહ્યુ કે લોકોને 49 દિવસની સરકાર પરત જોઈએ. આપણે 49 દિવસની સરકારને પાંચ વર્ષમાં બદલવાની છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલે આ સીટ દ્વારા અગાઉ ત્રણ વારની દિલ્હીની મુખ્યમંત્રી રહેલ શીલા દિક્ષિતને લગભગ 25000 વોટથી હરાવી હતી અને દિલ્હીના સીએમ બન્યા હતા.