આપણા ધર્મ શાસ્ત્રોમાં પિતૃ પક્ષ દરમિયાન કરવામાં આવેલ અનેક પરંપરાઓ વિશે લખ્યુ છે. એ જ મુજબ શ્રાદ્ધમાં યથાશક્તિ બ્રાહ્મણોને બોલીવીને ભોજન કરાવવાથી અને તેમને દાન આપવાથી શ્રાદ્ધ અક્ષય થઈ જાય છે. પિતૃ પક્ષમાં યથાશક્તિ દાન આપવાની પરંપરા છે. એવી માન્યતા છે કે જે પણ દાન આપણે અહી કરીએ છીએ તે બધી વસ્તુઓ આપણા પિતરોંને પિતૃ લોકમાં પ્રાપ્ત થાય છે.