1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : રવિવાર, 18 જૂન 2023 (17:24 IST)

Gupt Navratri Upay 2023: નોકરી અને વેપારમાં પ્રમોશન અપાવે છે ગુપ્ત નવરાત્રીના આ ઉપાય જરૂર અજમાવો

Ashadha Gupt Navratri 2023: 19 જૂનથી ગુપ્ત નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ નવ દિવસોમાં વિવિધ ઉપાયો દ્વારા માતાના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. 
 
અષાઢની ગુપ્ત નવરાત્રી આવતીકાલે એટલે કે 19મી જૂનથી શરૂ થઈ રહી છે અને 28મી જૂને સમાપ્ત થશે. ગુપ્ત નવરાત્રિને તંત્ર-મંત્રની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
 
નોકરી અને  વેપારમાં પ્રગતિ મેળવવા માટે ગુપ્ત નવરાત્રિની રાત્રે મા દુર્ગાની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ પછી નવ બતાશા લો અને દરેક બાતશે પર બે લવિંગ રાખો અને મા દુર્ગાને અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આ ઝડપથી પ્રગતિનો માર્ગ ખોલે છે.
Edited By-Monica Sahu