1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 12 નવેમ્બર 2019 (11:52 IST)

કાર્તિક પૂર્ણિમા 2019- દેવ દિવાળી પર કરશો આ 9 કાર્ય તો થશે અપાર લાભ

હિંદી પંચાગના મુજબ કાર્તિક મહીનાની પૂર્ણિમાને કાર્તિક પૂર્ણિમા કહેવાય છે. તેને ત્રિપુરારી અને દેવ દિવાળી પણ કહીએ છે. કાર્તિક મહીનામાં ત્રણ દિવાળી આવે છે. કાર્તિક મહીનાની કૃષ્ણ ચતુર્દશીને નાની દિવાળી જેને નરક ચતુર્દશી પણ કહી છે. ત્યારબાદ અમાસને મોટી દિવાળી ઉજવે છે અને પૂર્ણિમાને દેવ દિવાળી ઉજવે છે. 
 
ત્રિપુરાતી પૂર્ણિમા- તેને ત્રિપુરારી પૂર્ણિમા તેથી કહીએ છે  કારણ કે પ્રાચીન સમયમાં આ તિથિ પર શિવજી ત્રિપુરારી નામના દાનવનો વધ કર્યું હતું. તે સિવાય માન્યતા છે કે કાર્તિક પૂર્ણિમા પર જ ભગવાન વિષ્ણુઅએ મત્સ્યાવતાર પણ લીધું હતું. તેથી આ દિવસે સિખ ગુરૂ નાનકદેવજીનો જન્મ પણ થયું હતું. 
 
દેવ દિવાળી- દેવ દિવાળી દેવતા ઉજવે છે. માન્યતાઓ મુજબ દેવ દિવાળીના દિવસે બધા દેવતા ગંગા નદીના ઘાટ પર આવીને દીપ પ્રગટાવીને તેમની પ્રસન્નતાને 
 
દર્શાવે છે. તેથી આ દિવસે ગંગા સ્નાન કરી દીપદાનનો મહત્વ છે. આ દિવસે દીપદાન કરવાથી લાંબી ઉમ્ર મળે છે. 
 
આ દિવસે શું કરવું 
1. આ દિવસે પવિત્ર નદીમાં સ્નન કરવું, સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવો. 
2. સ્નાન પછી દીપદાન, પૂજા આરતી અને દાન કરવું. 
3. આ દિવસે તુલસીની પૂજા કરવી. 
4. સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવી. 
5. આ દિવસે શિવલિંગ પર જળ ચઢાવીને ૐ નમ: શિવાય મંત્રનો જાપ કરવું. 
6. આ દિવસે હનુમાનની સામે ઘીનો દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવું. 
7. આ દિવસે ગંગા કાંઠે સ્નાન કરી દીપ પ્રગટાવીને દેવતાઓથી કોઈ મનોકામનાને લઈને પ્રાર્થના કરવી. 
8. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લક્ષ્મી હમેશા માટે પ્રસન્ન થઈ જાય છે.