સંબંધિત સમાચાર
- Papmochani Ekadashi 2024: પાપમોચિની અગિયારસનુ વ્રત ક્યારે રાખવામાં આવશે. અહી જાણો તિથિ, શુભ મુહુર્ત અને પારણાનો સમય
- Fagun Amavasya 2025: ફાગણ અમાવસ્યાના દિવસે પિતરોને પ્રસન્ન કરવા જરૂર કરો આ કામ, પિતૃ દોષથી મળશે મુક્તિ
- Somwar Na Upay: સોમવારે બની રહ્યો છે ઉત્તરાષાઢા નક્ષત્ર કા સંયોગ, જરૂર કરો આ વિશેષ ઉપાય, જરૂર કરો આ ઉપાય મહાદેવ દૂર કરશે દરેક પરેશાની
- ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર
- Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી
Papmochani Ekadashi 2025: 25 માર્ચે પાપમોચની એકાદશી, આ શુભ મુહૂર્તમાં કરો ભગવાન વિષ્ણુની પૂજા
Papmochani Ekadashi 2025: ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ પાપમોચની એકાદશીનું વ્રત કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે. આ વ્રત કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે અને તેને પુણ્ય ફળ મળે છે. આ વર્ષે પાપમોચની એકાદશીનું વ્રત 25 માર્ચે કરવામાં આવશે. તો હવે અહીં જાણો કે એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવા માટે કયુ શુભ મુહુર્ત શ્રેષ્ઠ રહેશે.
પાપામોચની એકાદશી 2025 પૂજાનું શુભ મુહૂર્ત
પંચાંગ મુજબ, ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 25 માર્ચે સવારે 5:05 વાગ્યે શરૂ થશે. એકાદશી તિથિ 26 માર્ચે સવારે 3:45 વાગ્યે સમાપ્ત થશે. 26 માર્ચે પાપમોચની એકાદશીનો વ્રત તોડવામાં આવશે. વૈષ્ણવ સમુદાયના લોકો 26 માર્ચે પાપમોચની એકાદશીનો વ્રત કરશે અને 27 માર્ચે ઉપવાસ તોડશે.
એકાદશીના ઉપવાસના દિવસે શું ન કરવું
એકાદશીના દિવસે ચોખાનું સેવન ન કરો.
જો તમે એકાદશીનો ઉપવાસ કર્યો હોય તો આ દિવસે મીઠું ન ખાશો.
એકાદશીના દિવસે માંસાહારી ખોરાક ન ખાશો.
એકાદશી પર ડુંગળી અને લસણ ખાવાની પણ મનાઈ છે.
એકાદશીના દિવસે શું કરવું જોઈએ?
એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો.
એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો.
એકાદશીના દિવસે ફક્ત સાત્વિક ભોજન જ કરો.
એકાદશીના દિવસે વિષ્ણુના મંત્રોનો જાપ કરવો લાભકારી છે.
એકાદશીના વ્રત દરમિયાન, તમે દૂધ, દહીં, ફળ, શરબત, સાબુદાણા,
બદામ, નારિયેળ, શક્કરિયા, બટાકાનું સેવન કરી શકો છો.