ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 25 ઑક્ટોબર 2022 (09:43 IST)

Surya Grahan 2022: ગ્રહણ સમાપ્ત થયા પછી તરત જ કરો આ કામ, ખરાબ પ્રભાવથી બચી જશો

સૂર્યગ્રહણ (surya grahan)  અને ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર ભ્રમણ કરતી વખતે એક જ રેખામાં આવે છે. જો પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે હોય, તો સૂર્યનો પ્રકાશ ચંદ્ર સુધી પહોંચી શકતો નથી, તો તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. બીજી તરફ, જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે, ત્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચતો નથી, તો તેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. 
 
ગ્રહણને અશુભ માનવામાં આવે છે
સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ, બંનેને ધર્મ અને જ્યોતિષમાં અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમયે નકારાત્મક ઉર્જા વધે છે. તેથી ગ્રહણ દરમિયાન અમુક નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે છે. આગામી ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સુતક સમયગાળો માન્ય રહેશે નહીં. પરંતુ આ સૂર્યગ્રહણ 12 રાશિના લોકોના જીવનને પ્રભાવિત કરશે. આવી સ્થિતિમાં સૂર્યગ્રહણની નકારાત્મક અસરોથી બચવા માટે કેટલાક કામ કરવા જરૂરી છે.