શનિવાર, 28 ફેબ્રુઆરી 2026
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 31 ઑક્ટોબર 2014 (15:22 IST)

આટલુ કરશો તો ઘરમાં સદાય ધનનું આગમન રહેશે

આવું કરવાથી ઘરમાં સદાય ધનનું આગમન રહેશે tips for keep happy goddess laxmi  jyotish જ્યોતિષ  હિન્દુ ધર્મ  hindu Dharm Jyotishshashtra
જીવનમાં સુખની ચાહ રાખતા માનવ ક્યારે દેવ પૂજા ક્યારે વ્રત તો કયારે તીર્થયાત્રા કરે છે, પણ ઘરની લક્ષ્મીનો આદર નથી કરતા .જે ઘરમાં સ્ત્રીનો અનાદર થાય છે ત્યાં ક્યારે સમૃદ્ધિ નથી આવતી.  ધનલક્ષ્મીને ઘરમાં વિરાજિત કરવી  છે તો કયારે કોઈ સ્થિતિમાં સ્ત્રીનો અનાદર ન કરવો  જોઈએ. જે ઘરમાં સ્ત્રીનું  સન્માન નહી થાય તે ઘરમાં દેવતાઓની કૃપા નહી વરસે. 
 
માં ધન લક્ષ્મીની પૂજા અર્ચના કરવા માટે સાચા મનથી  તેમનું સ્મરણ કરો. સવાર-સાંજના સમયે મહાલક્ષ્મીના ચિત્ર અથવા સ્વરૂપ પર કુમકુમ અક્ષત ,ગંધ, ફૂળ, અર્પિત કરો અમે ધૂપબતી પ્રગટાવો. લક્ષ્મીની ઉપાસના કરતા પહેૂલા  શુક્રવારના દિવસે સાદા- સાફ અને સફેદ વસ્ત્ર પહેરો. 
 
1. રવિવાર અને મંગળવારે મીઠા વગરનું ભોજન  ખાવાથી ધન લક્ષ્મી ખુશ થાય છે. 
 
2. રવિવારના દિવસે મહિલા અને પુરૂષે એકબીજાને  સ્પર્શ નહી કરવો જોઈએ. આવું કરવાથી પૈસાની કમી નથી  રહેતી.
 
3.શનિવારની સાંજે પીપળના નીચે દીપક પ્રગટાવી ગંગા જળના  થોડા ટીપાં નાખીઅને સાધારણ પાણી ભરી પીપળના મૂળમાં અર્પિત કરવાથી ધન લક્ષ્મીની કૃપા મળે છે. 
 
4. મહાશિવરાત્રિ અને  નિર્જળા એકાદશીના દિવસે જે જાતક પાણી ગ્રહણ નથી કરતા ધનલક્ષ્મી માં પોતે તેના ઘરે પધારેં છે. 
 
5. માં ધન લક્ષ્મીના સ્વરૂપ ,ચિત્ર કે યંત્ર પર કમલગટ્ટાની માળા પહેરાવીને કોઈ તળાવ કે નદીમાં પ્રવાહિત કરવાથી નિરંતર ધનનું  આગમન  રહે છે.