શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. ઇસ્લામ
  3. ઇસ્લામ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 28 જૂન 2023 (09:19 IST)

Hajj Yatra- ઈસ્લામના પાંચ સ્તંભમાંથી એક છે હજ યાત્રા, હજ યાત્રા શા માટે જરૂરી છે,

Hajj Yatra- ધુલ હિજ્જા મહિનાથી હજ યાત્રા (Hajj Yatra)  શરૂ થાય છે હજ ધૂલ હિજ્જા મહિનામાં કરવામાં આવે છે, જે ઇસ્લામિક કેલેન્ડરમાં વર્ષનો 12મો મહિનો છે. હજ યાત્રા શા માટે જરૂરી હજ એ ઇસ્લામના પાંચ સ્તંભોમાંથી એક છે. દરેક મુસલમાન માટે કલમ, નમાઝ અને રોઝા રાખવા જરૂરી છે, પરંતુ જકાત એટલે કે દાન અને હજમાં થોડી છૂટ આપવામાં આવી છે કારણ કે દરેક વ્યક્તિ માટે હજ કરવી શક્ય નથી. જેની પાસે પૈસા છે તે સરળતાથી હજ પર જઈ શકે છે. 
 
- મુસલમાનો માટે હજ યાત્રા (hajj Yatra) ફરજીયાત ગણાય છે. આ ઈસ્લામના પાંચ સ્તંભમાંથી એક છે. ઈસ્લામના 5 સ્તંભ છે. 1. કલમા વાંચવુ 
2. નમાજ વાંચવી 3. રોજા રાખવુ 4. જકાત આપવી 5 . હજ યાત્રા કરવી 
 
- કલમા, નમાજ અને રોઝા રાખવુ દરેક મુસલમાન માટે જરૂરી છે. પણ જકાત (દાન) અને હજમાં કેટલીક છૂટ આપી છે. જે સક્ષમ છે એટલે કે જેની પાસે પૈસા છે. તેના માટે આ બન્ને જકાત અને હજ જરૂરી છે. 
 
- હજ સૌદી અરબના મક્કા શહરમાં હોય છે કારણ કે કાબા મક્કામાં છે. કાબા તે ઈમારત છે, જેની તરફ મોઢુ કરીને મુસલમાન નમાક વાંચે છે. કાબાને અલ્લાહનો ઘર પણ 
 
કહેવાય છે. આ કારણે આ મુસલમાનોના તીથ સ્થળ છે.