1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 20 એપ્રિલ 2019 (13:02 IST)

કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની 'ન્યાય' યોજના સામે જાહેરહિતની અરજી

લોકસભા ચૂંટણી 2019 માટે કૉંગ્રેસ પાર્ટી દ્વારા રજૂ કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરાની 'ન્યાય' યોજના વિરુદ્ધ અલાહાબાદ હાઇ કોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેના સંદર્ભે કોર્ટે કૉંગ્રેસને દસ દિવસમાં જવાબ રજૂ કરવા નોટિસ આપી છે.
 
આ જાહેરહિતની અરજી પર 13 મેના રોજ અલાહાબાદ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.
 
કૉંગ્રેસ પાર્ટીએ આ યોજના મુજબ દેશના 20 ટકા ગરીબોને ઓછામાં ઓછી 12,000ની આવક આપવાનો વાયદો કર્યો છે અને ન્યાય યોજનાનો પ્રચાર પણ કરી રહી છે. અનેક લોકો નિશ્ચિત ચોક્કસ આવકની આ યોજનાને ચૂંટણીમાં મહત્ત્વનો મુદ્દો માની રહ્યાં છે.
 
અદાલતમાં અરજી કરનારનું કહેવું છે કે ચૂંટણીમાં આવો વાયદો આપવો એ લાંચ સમાન છે અને લોકપ્રતિનિધિત્વના કાયદાનો ભંગ કરે છે.