સંબંધિત સમાચાર
- નિતિન પટેલનું સૂચક અને ચર્ચાસ્પદ નિવેદનઃ મને એક સીટની જવાબદારી સોંપાઈ અને એ અમે જીત્યા
- બિન-સચિવાલયની રદ થયેલી પરીક્ષા આગામી તા.૧૭ મી નવેમ્બરના રોજ લેવાશે
- રાજય સરકારની સરકારી કર્મચારીઓને બોનસરૂપી દિવાળી ભેટ, પગાર વહેલો ચુકવાશે
- નવી કૃષિ ક્રાંતિના નિર્માણ માટે પ્રાકૃતિક ખેતીના માધ્યમ દ્વારા ગુજરાત દેશને નવો રાહ ચીંધશે : નીતિન પટેલ
- ખેડૂતોને વાવણી માટે સૌની યોજના અને કડાણા યોજનામાંથી એક પાણ પાણી અપાશે : નીતિન પટેલ
નીતિન પટેલ : ગુજરાતીઓ મોટા પ્રમાણમાં IAS/IPS ક્લિયર કરી નથી શકતા
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર રાજ્યના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે ગાંધીનગર ખાતે યોજાયેલા એક સમારોહમાં કહ્યું હતું કે ગુજરાતીઓ મોટા પ્રમાણમાં IAS/IPSની પરીક્ષા ક્લિયર કરી શકતા નથી.
તેમણે સમારોહમાં પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે "ગુજરાતીઓ અમેરિકામાં તો મોટા પ્રમાણમાં પહોંચ્યા છે."
"પરંતુ કમનસીબે IAS, IPS અને IFS જેવા હોદ્દા પર વધારે પ્રમાણમાં જોવા નથી મળતા."
તેમણે આગળ કહ્યું હતું કે "રાજ્યના યુવાનોએ મોટા પ્રમાણમાં UPSCની પરીક્ષાઓમાં ભાગ લઈ સફળતા હાંસલ કરવી જોઈએ."
"દરેક રાજ્યમાં સ્થાનિક વહીવટી તંત્રમાં સ્થાનિક અધિકારીઓને પ્રાથમિકતા અપાય છે, પરંતુ કમનસીબીની વાત તો એ છે કે રાજ્યના સચિવાલયમાં ખૂબ જ ઓછા ગુજરાતી IAS/IPS/IFS અધિકારીઓ જોવા મળે છે.