ગુરુવાર, 4 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (15:26 IST)

સમલૈગિકતા પર નિર્ણયથી ખુશ કરણ જોહરે કહ્યુ - ફાઈનલી ! ઐતિહાસિક દિવસ, દેશને ઓક્સીજન પરત મળી ગયુ

સમલૈગિકતા
આઈપીસીની ધારા 377 ની સંવૈઘાનિક મંજુરી પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો. કેસમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીમાં પાંચ જજોની બેંચે એકમતથી કહ્યુ - સમલૈગિકતા અપરાધ નથી. ચીફ જસ્ટિસે નિર્ણય સંભળાવતા પહેલા કહ્યુ, 'વ્યક્તિવાદથી કોઈ ભાગી નથી શકતુ. સમાજ હવે આ મામલે સારી સ્થિતિમાં છે. 
 
બોલીવુડે કર્યુ સ્વાગત - જેવો જ આ નિર્ણય આવ્યો કે અનેક બોલીવુડ સેલેબ્સ પણ તેના વખાણ કરતા પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ પર પોતાના વિચાર શેયર કર્યા. કરણ જોહરે લખ્યુ - ફાઈનલી ઐતિહાસિક જજમેંટ, મને ખૂબ જ ગૌરવ અનુભવ થઈ રહ્યો છે.  માનવતા અને સમાન અધિકારને વહારવા માટેનુ ઐતિહાસિક પગલુ છે.