1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 10 જાન્યુઆરી 2022 (00:05 IST)

Coronaને કારણે બે દિવસથી હોસ્પિટલમા દાખલ છે Bahubali ના Katappa, બગડતી હાલત પછી દાખલ કર્યા

કોરોના વાયરસ ફરી એકવાર ઝડપથી વધી રહ્યો છે. નિષ્ણાતો તેને ત્રીજી લહેર બતાવી રહ્યા છે. મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં દરરોજ 1.60 લાખથી વધુ કોરોનાના કેસ આવી રહ્યા છે. આ દરમિયાન બોલીવુડના ઘણા સેલેબ્સ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. બોલીવુડ સહિત સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોરોના કહેર મચાવી રહ્યો છે.
 
બાહુબલી ફિલ્મમાં કટપ્પા તરીકે ફેમસ થયેલા સાઉથના દિગ્ગજ અભિનેતા સત્યરાજ પણ તાજેતરમાં જ કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા. આ પછી તે હોમ આઇસોલેશનમાં હતો. અહેવાલો અનુસાર, તબિયત બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
રિપોર્ટ  અનુસાર, અભિનેતા સત્યરાજને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા હળવા લક્ષણો અનુભવવાને કારણે તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે બાદ તે કોરોના સંક્રમિત જણાયો હતો. અહેવાલો અનુસાર, તેમની તબિયતમાં સુધારો ન થવાને કારણે, 7 જાન્યુઆરી, શુક્રવારે સાંજે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.