1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

અનુષ્કા કાયમ અભિનેત્રી રહેવા નથી માંગતી

P.R

યશ ચોપડાના નિર્દેશન હેઠળની ફિલ્મમાં ભૂમિકા અદા કરનાર અનુષ્કા શર્માએ કહ્યુ છે કે બોલિવૂડમાં આવી ગયા બાદ તે હવે આ ક્ષેત્રમાં આગળ વધવાની યોજના ધરાવે છે. તેનુ કહેવુ છે કે તે મૂળભૂત રીતે અભિનેત્રી બનવા ઈચ્છુક ન હતી. તેનુ એમ કહેવુ છે કે સ્ટાર રહેવાની બાબત થોડાક સમય માટેની બાબત છે. અનુષ્કાએ વર્ષ 2008માં શાહરૂખ ખાનની સાથે જ ફિલ્મ રબને બના દી જોડી મારફતે બોલિવૂડમાં એંટ્રી કરી હતી. ત્યારબાદ બદમાસ કંપની, બેંડ બાઝા બારાત, લેડીઝ વર્સેસ રીકી બહેલ અને પટિયાલા હાઉસ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો પણ તેની ફિલ્મો ફ્લોપ રહી છે. સ્વર્ગસ્થ યશ ચોપડાની હાલમાં રજૂ થયેલ ફિલ્મ જબ તક હૈ જાન હીટ રહી છે.

આ ફિલ્મમાં તે શાહરૂખ ખાનની સાથે જોવા મળી છે. ફિલ્મ ચાહકો તરફથી મળેલ પ્રતિસાદ મુજબ અનુષ્કાના અભિનયની ઘણી પ્રશંસા થઈ છે. 24 વર્ષીય અભિનેત્રી અનુષ્કાનું કહેવુ છે કે તે 10-15 વર્ષ સુધી અભિનેત્રી નહી રહે અને લગ્ન કરી લેશે અને બાળકો પણ થઈ જશે. તેનુ કહેવુ છે કે તે ફિલ્મમાં કેરિયર બનાવવા માંગે છે પણ તે લાઈફને પણ સારી રીતે માણવા માંગે છે.