1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

પદ્મશ્રી માટે મારી પાસે શબ્દો નથી, હુ સન્માન અનુભવી રહી છુ - વિદ્યા બાલન

P.R


પદ્મશ્રી વિજેતા વિદ્યા બાલને પુરસ્કાર મેળવ્યા બાદ પોતાના પરિવારનો, ઉપરવાલાનો, દેશ અને દેશના દર્શકોનો આભાર માન્યો છે અને આ સફળતા પર ખુશી બતાવતા બોલી છે કે આ પુરસ્કારથી તે ખૂબ ખુશ છે અને હું સન્માનનો અનુભવ કરી રહી છું. મારા પાસે મારી લાગણીને વ્યક્ત કરવાને માટે શબ્દ નથી.

વિદ્યા બાલને 'પા', 'ઈશ્કિયા','નો વન કિલ્ડ જેસિકા', 'ધ ડર્ટી પિક્ચર', 'ભૂલ ભૂલૈયા', અને 'કહાની', જેવી ફિલ્મોથી અભિનય કરીને પોતાની કારકીર્દિને આગળ ધપાવી હતી. તેમણે કહ્યું કે આપણા દેશની સરકાર પાસેથી આ સન્માન પ્રાપ્ત કરવું મારા માટે ભારે ગર્વની વાત છે.

ઉલ્લેખનીય છે કે, સરકારે શનિવારે પ્રતિષ્ઠિત પદ્મ શ્રી એવોર્ડની ઘોષણા કરી જેમાં મોટી હસ્તીઓ ડો આર.એ માશેલકર, બી.કે.એસ આયંગર, બેગમ પરવીન સુલતાના, ફિલ્મ કલાકાર પરેશ રાવલ, કમલ હસન અને વિદ્યા બાલન, ભારતીય ખેલાડી યુવરાજ સિંહ, લિએન્ડર પેસ, પુલેલા ગોપીચંદ, લેખક રસ્કિન બાંડ, બંસી કૌલ, ન્યાયમૂર્તિ દલવીર ભંડારી અને કેન્સર નિષ્ણાત ડો.રાજેશ ગ્રોવર પણ સામેલ છે.