શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ચૈત્ર નવરાત્રિ
Written By
Last Updated : બુધવાર, 30 માર્ચ 2022 (11:25 IST)

Chaitra Navratri April 2022: ચૈત્ર નવરાત્રિમાં આ 6 રાશિના જાતકોનો થશે ભાગ્યોદય, જાણો તમારી પર પણ થશે મા જગદંબાની કૃપા કે નહી

હિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નવરાત્રી વર્ષમાં ચાર વખત આવે છે. પરંતુ શારદીય અને ચૈત્ર નવરાત્રી ખાસ છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 02 એપ્રિલ 2022 થી શરૂ થઈ રહી છે અને 11 એપ્રિલ 2022 ના રોજ સમાપ્ત થશે. નવરાત્રીના નવ દિવસોમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન લોકો દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે વ્રત પણ રાખે છે. કલશની સ્થાપના પણ નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે પ્રતિપદા તિથિએ કરવામાં આવે છે
 
જ્યોતિષના મતે ચૈત્ર નવરાત્રિના નવ દિવસ કેટલીક રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થવાના છે. આ સમય દરમિયાન આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે અને કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થવાની સંભાવના છે. જાણો આ રાશિઓ વિશે-
 
મેષઃ- મેષ રાશિના લોકો માટે ચૈત્રી નવરાત્રિ શુભ રહેવાની છે. જ્યોતિષીઓના મતે નવરાત્રિના નવ દિવસ સુધી માતા રાણીની વિધિવત પૂજા કરવાથી તમને માતા જગદંબાની કૃપા પ્રાપ્ત થશે. આ દરમિયાન તમને કામમાં સફળતા મળશે. તમારી મહેનત ફળ આપશે. તમને નોકરીમાં તમારી પ્રતિભા બતાવવાની તક મળી શકે છે. યાત્રા થશે.
 
વૃષભઃ- ચૈત્ર નવરાત્રિ દરમિયાન તમારા જીવનમાં ખુશીઓ આવશે. આ સમય દરમિયાન તમે દરેક ક્ષેત્રમાં સફળતાની અપેક્ષા રાખી શકો છો. તમારી આર્થિક સ્થિતિમાં પહેલાથી જ સુધારો થશે. આવકના સ્ત્રોત બનશે.ઓફિસ સ્ટાફ સાથે સંબંધ મજબૂત રહેશે.
 
કર્કઃ- કર્ક રાશિના જાતકો માટે ચૈત્રી નવરાત્રિ શુભ રહેવાની છે. આ સમયે તમારી આર્થિક વૃદ્ધિ થશે. વેપારી માટે આ સમય સાનુકૂળ રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થઈ શકે છે.
 
સિંહઃ- સિંહ રાશિના લોકોને આ સમયે કોઈ સુખદ સમાચાર મળી શકે છે. અચાનક નાણાંકીય લાભ થવાની સંભાવનાઓ રહેશે. પ્રવાસમાં ધનલાભની અપેક્ષા છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. કોઈ લાંબી બીમારીથી છુટકારો મળી શકે છે.
 
કન્યાઃ- ચૈત્ર નવરાત્રિના નવ દિવસ કન્યા રાશિના જાતકો માટે સારા રહેવાના છે. આ સમયમાં તમને આર્થિક સફળતા મળશે. પૈસા કમાવવાના નવા માધ્યમો ખુલશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આ સમય દરમિયાન તમને સારા સમાચાર મળી શકે છે.
 
તુલાઃ- તુલા રાશિના જાતકો માટે ચૈત્રી નવરાત્રિ શુભ રહેવાની છે. આ સમયમાં તમને આર્થિક સફળતા મળશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. મન પ્રસન્ન રહેશે અને તમને ચારે બાજુથી ખુશી મળશે