શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (09:57 IST)

ત્રીજી લહેરની આહટ 24 કલાકમા કોરોનાના 45 હજાર નવા કેસ એક્ટિવ કેસ પણ 4 લાખની પાસે

સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ આંકડા પર નજર કરીએ તો કોરોનાની ત્રીજી લેહર આશરે આવી ગઈ છે. આજે જે આંકડા સામે આવ્યા છે તેમાં 45 હજારથી વધારે નવા કેસ અને ચાર લાખના નજીક એક્ટિવ કેસ શમેલ છે કે સરકારની સાથે સાથે આમ આદમીની પણ ચિંતા વધારવા વાળા છે. પણ રાહતની વાત આ છે કે દેશમાં રસીકરણની રફ્તાર સારી છે . દરરોજ આશરે એક કરોડ લોકોને વેક્સીનની ડોખ આપી રહ્યા છે 
મંત્રાલય દ્વારા રજૂ આંકડા મુજબ ગયા 24 કલાકમાં 45,352 નવા પૉઝ્ટિવ કેસ સામે આવ્યા છે. અત્યારે દેશમાં 3,99,778 એક્ટિવ કેસ છે જે કુળ કેસના 1.22 ટકા છે. રિકવરી રેટ રાહત આપનારી ચે. 1000માં આશરે 97 દર્દી સ્વસ્થ થઈ રહ્યા છે. ગયા 24 કલાકમાં 34,791 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યારે દેશમાં 3,20,63,616 દર્દી કાં તો સ્વસ્થ થઈગયા છે કે પછી તેને હોસ્પીટલથી રજા અપાઈ છે. 
 
કોરોના સંક્રમણની વધતી ચિંતાના વચ્ચે રસીકરણની રફતાર પણ વખાણીય છે. દેશમાં 67.09 કરોડ ડોખ આપી દીધા છે. સાથે જ અત્યારે સુધી 52.65 કરોડ સેંપલની તપાસ કરાઈ છે.