સંબંધિત સમાચાર
- ગુજરાતમાં ઓમિક્રોનના BF 7 વેરિયન્ટનો હાલ એક પણ એક્ટિવ કેસ નથી
- કોરોનાના નવા વેરિએન્ટ BF.7 થી સંક્રમિત ત્રણ દર્દીઓ હોમ આઇસોલેશનમાં થયા સ્વસ્થ
- કેબિનેટ મીટીંગની ચર્ચા બાદ આરોગ્યમંત્રીએ આંશિક પ્રતિબંધોને લઇને શું કહ્યું? ગુજરાત રસીકરણમાં અગ્રેસર
- કોરોનાની સ્થિતિ અને તૈયારીને લઈને કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાની રાજ્યના મંત્રીઓ સાથે મિટિંગ
- વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કોરોનાને લઈને બેઠક કરશે
કોરોનાના નવા વેરિયન્ટના લક્ષણો
BF 7 મુખ્ય રૂપથી ઉપરી શ્વસન સંક્રમણનુ કારણ બને છે. તેનાથી સંક્રમિત થતા સીનાના ઉપરી ભાગ અને ગળાની પાસે દુખાવો થાય છે. આ વેરિએંટથી સંક્રમિત દર્દીને ગળામાં ખરાશ, છીંક, વહેતી નાક, બંદ નાકની ફરિયાદ થઈ શકે છે.
એવા દર્દીને વગરે કફ વાળી ખાંસી, કફની સાથે ખાંસી, માથાના દુખાવાના લક્ષણ જોવાય છે. તેની સાથે જ દર્દીને બોલવામાં પરેશાની થાય છે અને માંસપેશીઓમાં દુખાવો રહે છે.
ઓમિક્રોનના સબ વેરિએંટ BF-7 થી સંક્રમિત થતા કેટલાક દર્દીઓને ઉલ્ટી અને દસ્ત થઈ શકે છે. ડાક્ટરોની સલાહ છે કે એવા લક્ષણ જોવાતા તરત કોવિડ ટેસ્ટ કરાવવા જોઈએ. કારણ કે સેલ્ફ આઈસોલેશન અને રિકવરી દવાઓથી દર્દીને સંક્રમણથી જલ્દી ઠીક કરી શકાય છે.
સતત ખાંસીની સાથે સંક્રમિત માણસને કંપકંપીની સાથે તાવ આવી શકે છે. તેને ગંધ ન આવવાની ફરિયાદ પણ થઈ શકે છે. શ્વાસ લેવામાં પરેશાની અને થાકનુ અનુભવ પણ થાય છે.
