મંગળવાર, 12 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 22 ડિસેમ્બર 2022 (15:56 IST)

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કોરોનાને લઈને બેઠક કરશે

Prime Minister Narendra Modi
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે કોવિડ-19ની સ્થિતિ અને તેને સંબંધિત બાબતોની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
 
સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ અનુસાર, "છેલ્લા છ મહિનામાં ભારતમાં ચાર કેસ બીએફ.7 ઓમિક્રૉન સબ-વૅરિયન્ટના નોંધાયા છે. જેના કારણે ચીનમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે."
 
સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, "હાલમાં દેશમાં કોવિડ-19ના 10 વિવિધ પ્રકારો છે, જેમાં નવીનતમ બીએફ.7 છે."
 
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે દેશમાં વર્તમાન કોવિડ-19ની સ્થિતિ અને મહામારીને લઈને વિશેષજ્ઞો અને અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમજ કોવિડ હજુ ખતમ થયો નથી અને બધા સંબંધિત પક્ષોને સતર્ક રહેવા અને ચુસ્ત નિરીક્ષણ રાખવાના નિર્દેશ આપ્યા હતા.