શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 26 ફેબ્રુઆરી 2023 (11:07 IST)

ગુજરાતમાં ક્રિકેટ બની કાળ:ગુજરાતમાં 20 દિવસમાં હાર્ટ એટેકથી 5 લોકોના મોત

છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યા છે. રાજકોટ-સુરત અને અમદાવાદમાં માં ક્રિકેટ રમતા એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે. હવે આવી જ એક ઘટના શનિવારે અમદાવાદમાં બની હતી. મળતી માહિતી મુજબ અમદાવાદમાં GST કર્મચારી અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત વચ્ચે મેચ રમાઈ રહી હતી. આ મેચમાં GST કર્મચારી વસંત રાઠોડે પણ ભાગ લીધો હતો. બોલિંગ કરતી વખતે વસંતને છાતીમાં દુખાવો થયો અને તે જમીન પર પડ્યો. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
 
ગુજરાતના અમદાવાદમાં એક રાજકોટ અને સુરતમાં હાર્ટ એટેકથી બે ક્રિકેટરોના મોત થયા છે. શનિવારે સુરતમાં ક્રિકેટ રમ્યા બાદ 27 વર્ષીય પ્રશાંત કાંતિભાઈ ભરોલીયાને છાતીમાં દુ:ખાવો અને ધબકારા વધવા લાગતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ત્યારે રાજકોટમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના માધવરાવ સિંઘિયા ગ્રાઉન્ડ, રેસકોર્સમાં ક્રિકેટ રમતી વખતે જીગ્નેશ ચૌહાણ નામનો યુવક અચાનક પડી ગયો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
 
રાજકોટ શહેરમાં ક્રિકેટ રમવાના કારણે અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. થોડા દિવસો પહેલા ક્રિકેટ રમવાના કારણે બે લોકોના મોત થયા હતા. બે દિવસ પહેલા પણ ક્રિકેટ રમતા એક યુવકનું મોત થયું હતું. રવિવારે પણ વધુ એક યુવક ક્રિકેટ રમતા મૃત્યુ પામ્યો હતો. નોંધનીય છે કે રાજકોટમાં છેલ્લા 20 દિવસમાં ક્રિકેટ રમતા પાંચ લોકોના મોત થયા છે.
 
પ્રશાંત કાંતિભાઈ ભરોલીયાના મોતનું કારણ જાણવા તબીબોએ જરૂરી સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ જાણી શકાશે. મૃતક યુવક કેનેડામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. તે હાલમાં જ સુરત આવ્યો હતો અને શનિવારે ક્રિકેટ રમવા ગયો હતો. બીજી તરફ જીજ્ઞેશ ચૌહાણના મૃત્યુ અંગે તબીબોએ જણાવ્યું હતું કે તેનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે.
 
જીગ્નેશ ચૌહાણ છેલ્લા કેટલાક સમયથી મીડિયા સાથે જોડાયેલા છે. પિતાના અવસાન બાદ તેમણે પરિવારની જવાબદારી સંભાળી હતી. આજે જીજ્ઞેશના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. તે જ સમયે ભાવનગરના ગારીયાધારમાં રહેતો 27 વર્ષીય પ્રશાંત કાંતિભાઈ ભરોલીયા હાલ વરાછા જોલી એન્કલેવમાં રહેતો હતો અને કેનેડામાં સિવિલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરતો હતો. તે એક વર્ષ પછી પરિવારને મળવા આવ્યો હતો અને ફરીથી કેનેડા જવા રવાના થયો હતો.
 
તો ગઇકાલે  અમદાવાદમાં GST કર્મચારી અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત વચ્ચે મેચ રમાઈ રહી હતી. આ મેચમાં GST કર્મચારી વસંત રાઠોડે પણ ભાગ લીધો હતો. બોલિંગ કરતી વખતે વસંતને છાતીમાં દુખાવો થયો અને તે જમીન પર પડ્યો. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.