25 વર્ષની રિયાની નિર્દયતાથી હત્યા, પતિએ માથુ કાપીને ફ્રિજમાં મુક્યુ... અસમમાં રૂંવાટ ઉભા કરી દેનારો હત્યાકાંડ
ગુવાહાટીના હાટીગામ વિસ્તારમાં એક મહિલાની ખૂબ જ નિર્દયતાથી હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. અહી બસિષ્ઠપુર બાઈલેનમાં 25 વર્ષીય મહિલાની ડેડ બોડી મળ્યા બાદ વિસ્તારમાં સનસની ફેલાય ગઈ છે. મૃતકની ઓળખ રિયા તાલુકદાર તરીકે થઈ છે, જે નૂનમતીની રહેવાસી છે. પોલીસને શંકા છે કે તેના પતિ રામાનુજન ગોસ્વામીએ તેની હત્યા કરી હતી. રામાનુજનનું પૈતૃક ઘર ગૌરીપુરમાં હોવાનું કહેવાય છે.
હત્યા બાદ તેનું માથું કાપીને રેફ્રિજરેટરમાં મૂકવામાં આવ્યું
પોલીસના જણાવ્યા અનુસાર, રિયા ફેન્સી બજારના એસી માર્કેટ વિસ્તારમાં એક બુટિકમાં કામ કરતી હતી. તેના કોઈ માતા-પિતા અને એક જ ભાઈ નહોતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે સોમવારે રિયા અને તેના પતિ વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. ત્યારબાદ, રામાનુજન રાત્રે 8 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગયો.
મંગળવારે પડોશીઓએ ઘરમાંથી તીવ્ર ગંધ આવતી જોઈ ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો. શંકાસ્પદ લાગતાં તેઓએ પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘરની તપાસ કરી, જેમાં મહિલાની હત્યાની ભયાનક વિગતો બહાર આવી. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. એવો આરોપ છે કે હત્યા પછી, તેનું માથું તેના શરીરમાંથી અલગ કરીને રેફ્રિજરેટરની અંદર કાળા પોલીથીન બેગમાં છુપાવી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં, મહિલાની આંગળીઓ પણ કાપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.
આરોપી પતિની શોધમાં છે પોલીસ
પોલીસનુ શરૂઆતી અનુમાન છે કે હત્યા ડેડ બોડી જપ્ત થવાના 24 થી 48 કલાક પહેલા કરવામાં આઈ હશે. હાલ હત્યાનુ ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. પોલીસ પતિની ભૂમિકા સહિત મામલા સાથે સંકળાયેલા તમામ પહેલુઓનુ ધ્યાન રાખી રહી છે અને કારણ જાણવાની કોશિશ કરી રહી છે કે આ ઘટના પાછળનુ કારણ શુ હતુ. મહિલાની ડેડ બોડી પોસ્ટમોર્ટમ માટે ગુવાહાટી મેડિકલ કોલેજ એંડ હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે.
