ધનતેરસ 2022 : પૂજન અને શુભ મુહુર્ત
કારતકમાસના કૃષ્ણપક્ષની તેરસને ધનતેરસ કહે છે. આ દિવસે ભગવાન ધનવંતરિની પૂજા કરવામાં આવે છે. આ વખતે આ તહેવાર 23 ઓક્ટોબર 2022 ના રોજ રવિવારે છે. ભગવાન ધનવંતરિની પૂજા આ પ્રમાણે કરવી જોઈએ.
ધનતેરસનો તહેવાર એટલે કે ત્રયોદશી તિથિના દિવસે ઉજવાય છે. આ વખતે 22 તારીખ શનિવારે દ્વાદશી તિથિ 6 વાગીને 2 મિનિટ સુધી રહેશે. તે પછી ત્રયોદશી શરૂ થશે. ત્રયોદશીના આવતા દિવસે એટલેકે 23 ઓક્ટોબરની સાંજે 6 વાગીને 03 મિનિટ સુધી જ રહેશે. તેથી કેટલાક લોકો 22ની રાત્રે જ ઉજવશે. અને કેટલાક લોકો ઉદયાતિથિના મુજબ 23 ઓક્ટોબર રવિવારે ઉજવશે. આ દિવસે નરક ચતુર્દશી પણ રહેશે.
સૌ પ્રથમ નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરો. ભગવાન ધનવંતરિની મૂર્તિ કે ચિત્ર ચોખ્ખા સ્થળ પર સ્થાપિત કરો અને સામે બેસી જાવ. ત્યારબાદ નીચેના મંત્રોનો જાપ કરીને ભગવાન ધંવનતરિની પૂજા કરો.
सत्यं च येन निरतं रोगं विधूतं,अन्वेषित च सविधिं आरोग्यमस्य।
गूढं निगूढं औषध्यरूपम्, धन्वन्तरिं च सततं प्रणमामि नित्यं।।
ત્યારબદ પૂજા સ્થળ પર આસન મૂકવાના ભાવથી ચોખા ચઢાવો, પાણી છોડો, ભગવાન ધન્વન્તરિના ચિત્ર પર અબીલ, ગુલાલ, અષ્ટગંધ વસ્ત્ર વગેરે ચઢાવો. ચાંદીનું પાત્ર હોય તો તેમા નહી તો અન્ય પાત્રમાં ખીરનો નૈવેદ્ય બતાવો. ફરી પાણી છોડો. ત્યારબાદ મુખવાસ તરીકે પાન, લવિંગ, સોપારી ચઢાવો. ભગવાન ધન્વન્તરિને વસ્ત્ર અર્પણ કરો. શંખપુષ્પી, તુલસી, બ્રાહ્મી વગેરે પૂજનીય ઔષધિયો પણ ભગવાનને ધન્વન્તરિને અર્પણ કરો. રોગમુક્તિ માટે ઈશ્વર આગળ આ મંત્રનો જાપ કરો
ऊँ रं रूद्र रोगनाशाय धन्वन्तर्ये फट्।।
ત્યારબાદ ભગવાન ધન્વન્તરિને નારિયળ અને દક્ષિણા અર્પણ કરો. પૂજના અંતમા કપૂરની આરતી કરો.
ધનતેરસનુ શુભ મુહુર્ત
આ વર્ષે ધનતેરસ પર્વ ગુરૂવાર અને શુક્રવાર એમ બે દિવસ રહેશે. ધનતેરસ
Dhanteras 2022- ક્યારે છે
ધનતેરસ 2022
23 ઓક્ટોબર, રવિવારે
Dhanteras Muhurat :
ધનતેરસ શુભ મુહૂર્ત :17:44:07 થી 18:05:50 સુધી
સમયગાળો : 0 કલાક 21 મિનિટ
પ્રદોષ કાળ :17:44:07 થી 20:16:44 સુધી શુભુ મુહુર્ત છે.