મંગળવાર, 19 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દશેરા
Written By
Last Modified: મંગળવાર, 13 સપ્ટેમ્બર 2022 (15:19 IST)

Dussehra 2022 Date- આ તારીખે ઉજવાશે દશેરા, નોંધી લો વિજયાદશમીની પૂજા મુહુર્ત-વિધિ

હિંદુ ધર્મમાં દશેરા પર્વ ખૂબ ધૂમધામથી ઉજવાય છે. આ દિવસે ભગવાન શ્રીરામએ લંકાપતિ અહંકારીવ રાવણને માર્યો હતો. તેથી દશેરાને વિજયાદશમી પર્વ પણ કહે છે. આ દિવસે ઠેરઠેર રાવણના પુતળા સળગાવાય છે. 
 
દહેરા અશ્વિન મહીનાના શુક્લ તે પક્ષના દસમા દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે અશ્વિન શુક્લની દશમી તિથિ 4 ઓક્ટોબર, મંગળવારના રોજ બપોરે 02.20 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને બુધવાર, ઓક્ટોબર 5 ના રોજ બપોરે 12:00 વાગ્યે સમાપ્ત થશે. આ દરમિયાન 5 ઓક્ટોબરના રોજ બપોરે 02:07 થી 02:54 સુધી વિજયાદશમીની પૂજાનો સમય છે.

સાથે જ રાત્રે રાવણનું દહન કરવામાં આવશે. દશેરાના દિવસે લોકો નવી કાર, સોના-ચાંદીની ખરીદી કરે છે. આ સાથે દશેરાના દિવસે વાહનોની પણ પૂજા કરવામાં આવે છે.