ભગવાન શનિદેવનો જન્મ વૈશાખ અમાવસના રોજ બાર વાગે માનવામાં અવે છે. તેથી વૈશાખ અમસનો દિવસ શનૈશ્વર જયંતિના રૂપમાં ઉજવવામાં આવે છે. શનિ મકર અને કુંભ રાશિના સ્વામી છે. તેમની મહાદશા 19 વર્ષની હોય છે. શનિના અધિદેવતા પ્રજાપિતા બ્રહ્મા અને પ્રત્યધિદેવતા યમ છે. તેમનો વર્ણ કૃષ્ણ, વાહન ગીધ અને રથ લોખંડ બનેલો છે. તે એક એક રાશિમાં ત્રીસ ત્રીસ મહિના સુધી રહે છે. શનિ ભગવાન સૂર્ય અને છાયા(સંવર્ણા)ના પુત્ર છે. તેઓ ક્રૂર ગ્રહના રૂપે ઓળખાય છે.
શનૈશ્વર જયંતી પર શુ કરશો -
* આ દિવસે સવારે રોજના કામથી પરવારીને શુધ્ધ જળથી સ્નાન કરો. * ત્યારબાદ પીપડાના વૃક્ષને જળ ચઢાવો. * મંદિરમાં જઈને લોખંડથી બનેલા શનિ દેવતાની મૂર્તિને મંત્રોચ્ચાર દ્વારા મહાભિષેક કરો. * પછી આ મૂર્તિને ચોખાથી બનાવેલ ચોવીસ દળના કમલ પર સ્થાપિત કરો. * ત્યારબાદ કાળા તલ, કાળી અડદ, ફૂલ, ધૂપ અને તેલ વગેરેથી પૂજા કરો. * શનિદેવને કાળા વસ્ત્ર અને લોખંડની વસ્તુ અર્પિત કરો. * પૂજન દરમિયાન શનિના નીચે દર્શાવેલ દસ નામોનુ ઉચ્ચારણ કરો.