શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 15 નવેમ્બર 2022 (12:30 IST)

BJPને પડકાર ફેંકવા જઈ રહ્યા હતા, હવે ગુજરાત ચૂંટણીની જંગમાં પિતા-પુત્ર સામસામે ટકરાશે

chhotu vasava vs mahesh vasava
ભરૂચ (ગુજરાત) : ગુજરાતમાં આવતા મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીની ટિકિટોની જાહેરાતની સાથે સાથે બળવાખોર અવાજો પણ રાજકીય પક્ષોની માથાનો દુખાવો વધારી રહ્યા છે. હવે ભરૂચ જિલ્લાના ઝઘડિયા મતવિસ્તારમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)માં પણ ભડકો જોવા મળી રહ્યો છે.  બીટીપીના સ્થાપક અને તેમના પુત્ર મહેશ વસાવા વચ્ચે સીધો મુકાબલો થવાનો છે. જ્યારે પુત્ર મહેશ વસાવાએ BTP ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે તેમના પિતા અને પક્ષના સ્થાપક છોટુ વસાવા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
 
મને જનાદેશની જરૂર નથી - છોટુ વસાવા
 
છોટુ વસાવાએ સોમવારે કહ્યું હતું કે, મને જનાદેશની જરૂર નથી, હવે સમય આવી ગયો છે કે તમામ પક્ષોએ મેન્ડેટ સિસ્ટમ ખતમ કરવી જોઈએ. 7 વખતના ધારાસભ્ય છોટુ વસાવા આજે સવારે ઉમેદવારી પત્ર ભરવા માટે રિટર્નિંગ ઓફિસરની કચેરીએ જઈ રહ્યા હતા ત્યારે સેંકડો કાર્યકરો રેલીમાં જોડાયા હતા. છોટુના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે તેણે ઝઘડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે.
 
ઇશ્વર વસાવાએ છોટુ વસાવાને ટેકો આપ્યો હતો
 
મેન્ડેટ વિવાદ પર સીધો જવાબ આપવાનું ટાળતા મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં ચિત્ર સ્પષ્ટ થશે. ચૂંટણીમાં દરેક પક્ષ બે ઉમેદવારો, મુખ્ય ઉમેદવાર અને ડમી ઉમેદવાર, તેવી જ રીતે BTPમાં પણ બે ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે.  મહેશ વસાવાએ શુક્રવારે ઝઘડિયાથી BTPના સત્તાવાર ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે તેમણે ઉમેદવાર તરીકે તેમના પેપર સબમિટ કર્યા ત્યારે કોઈ સરઘસ, રેલી, સભા કે સમર્થકો ન હતા. તેમની ઉમેદવારીને પાર્ટીના સભ્ય ઈશ્વર વસાવાએ ટેકો આપ્યો હતો.
 
પિતા-પુત્ર વચ્ચે આ રીતે શરૂ થયો મતભેદ 
 
છોટુ વસાવા 1990 થી ઝગડિયા મતવિસ્તારમાંથી વિધાનસભામાં ચૂંટાયા છે, જ્યારે તેમના પુત્ર મહેશ ડેડિયાપાડા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને ચૂંટાયા છે. પ્રથમ વખત છોટુ વસાવાને પરિવારમાંથી જ પડકારનો સામનો કરવો પડશે. ગયા અઠવાડિયે, છોટુ વસાવાના બીજા પુત્ર દિલીપ વસાવાએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદ અને અન્ય હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું.
 
પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, મહેશે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો નિર્ણય કર્યા પછી પિતા-પુત્ર વચ્ચે મતભેદો સર્જાયા હતા, અને છોટુ વસાવાએ ગઠબંધન તોડી નાખ્યું  કારણ કે તેમણે જોયુ કે AAP બીટીપીના કાર્યકરો અને નેતાઓને પોતાની પાર્ટી તરફ ખેંચીને  BTPના પીઠમાં છરો ભોંકી રહ્યુ હતુ.  જ્યારે છોટુ વસાવાએ જેડીયુ સાથે ગઠબંધનની જાહેરાત કરી ત્યારે મહેશે અસંમત હતા. એવું લાગે છે કે કાં તો BTP તૂટી જશે અથવા મહેશ વસાવા પાર્ટીની બાગડોર સંભાળશે.