મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 19 જુલાઈ 2021 (10:04 IST)

Skin allergies - સ્કિનમાં વાર-વાર હોય છે એલર્જી તો અજમાવીને જુઓ આ ઘરેલૂ ઉપાય

વધતા પ્રદૂષણ સ્કિનની દેખભાલ ન કરવી અને ખોટા ભોજન  સ્કિન એલર્જીનો કારણ બને છે તેના કારણે ત્વચાનો રંગ લાલ થવા લાગે છે. તેના પર દાના, બળતર, ખંજવાળ વગેરેની સમસ્યા થવા લાગે છે. ઘણી 
વાર પ્રભવિત જગ્યા પર અસહનીય દુખાવાનો પણ થાય છે. તેનાથી બચવા માટે કેટલાક ઘરેલૂ ઉપાયને અજમાવી શકો છો.  આ કોમળતાથી સ્કિનની સફાઈ કરીને તેને સુંદર, ગ્લોઈંગ, નરમ અને યુવા બનાવવામાં મદદ કરશે. ચાલો જાણીએ કેટલાક ખાસ દેશી ઉપાયોથી આરામ મળે છે. 
 
ટી ટ્રી ઑયલ
સ્કિન સંબંધી સમસ્યાઓથી બચવા માટે તમે ટી-ટ્રી ઑયલ યૂજ કરી શકો છો. તેમાં રહેલ એંટી-ઈંફ્લેમેંટ્રી, એંટી માઈક્રોબિયલ, એંટી બેક્ટીરિયલ ગુણ સ્કિન એલર્જીને ઓછું કરવામાં મદદ કરે છે. એક્સપર્ટસના મુજબ તેનાથી સ્કિન રેશેશ, બળતરા, ખંજવાળ વેગેરેની પરેશાનીઓથી આરમ મળે છે. 
 
એલોવેરા જેલ 
એલોવેરા જેલ એંટી બેક્ટીરિયલ, એંટી વાયરલ ગુણોથી ભરપૂર હોય છે. તેને સ્કિન પર લગાવવાથે ખંજવાળ, બળતરા, રેશેજ વગેરેની સ્કિન એલર્જીથી આરામ મળે છે. તેના માટે એલોવેરા જેલથી પ્રભાવિત જગ્યા પર 5-10 મિનિટ સુધી મસાજ કરવી. 10 મિનિટ તેને રહેવા દો. પછી હૂંફાણા પાણીથી સાફ કરી લો. 
 
એપ્પલ સાઈડર વિનેગર 
સ્કિન એલર્જી અને ત્વચા સંબંધી બીજી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં એપ્પલ સાઈડર વિનેગર એટલે કે સિરકા ફાયદાકારી ગણાય છે. તેમાં રહેલ એંટી બેક્ટીરિયલ એંટી વાયરલ ગુણ સ્કિનને અંદરથી પોષિત કરી તેને એલર્જી દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે એક કપ ગરમ પાણીમાં 1 મોટી ચમચી સિરકો મિક્સ કરી કૉટનની મદદથી લગાવો. પછી તેને સૂક્યા પછી ઠંડા પાણીથી સાફ કરી લો.