1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: મુંબઈ , સોમવાર, 12 એપ્રિલ 2010 (12:49 IST)

આરબીઆઈ વધારી શકે છે નીતિગત દરો

ND
N.D
તેજીથી વધતા ફૂગાવા અને આર્થિક વૃદ્ધિમાં સ્થિરતાના સંકેતો વચ્ચે રિજર્વ બેન્કની આગામી 20 એપ્રિલના રોજ આવનારી વાર્ષિક મૌદ્રિક નીતિમાં રેપો, રિવર્સ રેપો સહિત પ્રમુખ નીતિગત દરોમાં ચતુર્થાંશથી લઈને અડધા ટકા સુધી વૃદ્ધિ થઈ શકે છે.

ટોચના બેંકરોનું કહેવું છે કે, ભારતીય રિજર્વ બેન્ક ફૂગાવાથી લડવા માટે નીતિગત દરોને વધુ આકરા કરી શકે છે. આ અગાઉ રિજર્વ બેન્કે જાન્યુઆરી માસમાં રોકડ આરક્ષિત અનુપાત (સીઆરઆર) માં જ્યાં 0/75 ટકા સુધીની વૃદ્ધિ કરી છે ત્યાં માર્ચ માસમાં રેપો અને રિવર્સ રેપોમાં પ્રત્યેકમાં 0.25 ટકાની વૃદ્ધિ કરી છે.

બેન્કનો સીઆરઆર આ સમયે 5.75 ટકા પર છે જ્યારે રેપો રેટર 5.00 અને રિવર્સ રેપો રેટ 3.50 ટકા પર છે. સીઆરઆરના રૂપમાં આટલી રકમ રિજર્વ બેન્ક પાસે આરક્ષિત રાખવી પડે છે જ્યારે રેપો અને રિવર્સ રેપો દર પર બેન્ક પોતાની અલ્પકાલિક જરૂરિયાતો માટે રિજર્વ બેન્કથી ધન લે છે અથવા તેની પાસે રાખે છે.

ઓરિએંટલ બેંક ઓફ કોર્મર્સના ચેરમેન અને મેનિજિંગ નિર્દેશક ટીવાઈ પ્રભુએ કહ્યું રિજર્વ બેન્ક ફૂગાવા પર અંકુશ લગાડવા માટે પ્રમુખ દરોમાં 0.25 ટકાથી લઈને 0.5 ટકા સુધીની વૃદ્ધિ કરી શકે છે. મને નથી લાગતું કે વ્યાજ દરોમાં તત્કાલ કોઈ વૃદ્ધિ થશે કારણ કે, બેન્કો પાસે પ્રમુખ દરોમાં 0.25 ટકા સુધીની વૃદ્ધિ સહન કરવા માટે પૂરતી રોકડ છે.