મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 18 એપ્રિલ 2019 (13:22 IST)

જેટ એયરવેઝની બધી ઉડાનો રદ્દ, 20 હજાર લોકોની નોકરી પર સંકટ

જેટ અયેરવેઝનુ પરિચાલન આજથી અસ્થાયી રૂપથી બંધ થઈ ગયુ છે. બેંકોએ વિમાન કંપનીને 400 કરોડ રૂપિયાનુ ઈમરજૈસી ફંડ આપવાની ના પાડી દીધી છે. કારણ કે બેંકના વિમાન કંપનીને 400 કરોડ રૂપિયાનુ ઈમરજૈંસી ફંડ આપવાનો ઈંકાર કરી દીધો છે. જેનો મતલબ છે કે હાલ ઉડી રહેલ જૈટના 5 વિમાન પણ હવે જમીન પર જ રહેશે.  કંપની સામે શટરડાઉન ઉપરાંત હવે કોઈ વિકલ્પ બચ્યો નથી. કર્જદાતાઓએ 400 કરોડ રૂપિયાનુ તત્કાલ ફંડ આપવાનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે. સરકાર કંપનીના મામલામાં હસ્તક્ષેપ નહી કરે અને કર્જદાતાઓ પર નિર્ણય છોડી દીધો છે. 
 
રિપોર્ટ મુજબ જૈટની અંતિમ ફ્લાઈટ આજે રાત્રે 10.30 વાગ્યે ઉડશે. મંગળવારે થયેલ બેઠકમાં કંપનીના બોર્ડએ સીઈઓ વિનય દુબેને અંતિમ નિર્ણય લેવા માટે અધિકૃત કર્યા હતા. ભારે કર્જમાં ફંસાય ચુકેલી કંપનીના 5 જ વિમાન આ સમય સંચાલનમાં છે. 25 વર્ષ જૂની એયરલાઈન કંપની પર 8 હજાર કરોડ રૂપિયાથી વધુનુ કર્જ છે.  જૈટ એયરવેઝના કર્મચારી એયરલાઈંસને બચવવવા માટે સરકારને હસ્તક્ષેપની માંગ કરતા ગુરૂવારે જંતર મંતર પર પ્રદર્શન કરશે. બીજી બાજુ જૈટ એયરવેજના અસ્થાયી રૂપથી પરિચાલન બંધ કર્યા પછી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુરૂવારે હવાઈ  મથકો સંચાલકો અને વિમાન સેવા કંપનીઓની બેઠક બોલાવી છે. 
 
20 હજાર લોકોની નોકરી પર ખતરો 
 
જો કંપની બંધ થાય છે તો 20 હજાર લોકોની નોકરી જતી રહેશે. ઉલ્લેખનીય છે કે ગયા કેલેંડર વર્ષમાં 4244 કરોડ રૂપિયાનુ નુકશાન ઉઠાવી ચુકેલી કંપની દ્વારા જાન્યુઆરીથી પાયલોટ, સાર સંભાળ અને સંચાલનના વરિષ્ઠ અધિકારીઓને વેતન આપવામાં આવી રહ્યુ હતુ પણ તેમને પણ માર્ચનો પગાર હજુ સુધી મલ્યો નથી. 
 
આંતરરાષ્ટ્રીય ઉડાનો પહેલા જ સ્થગિત 
 
જૈટ એયરવેઝ પહેલાથી જ પોતાની  18 એપ્રિલ સુધી સ્થગિત કરવાની જાહેરત કરી ચુકી છે. જૈટ એયરવેઝે મંગળવારે કહ્યુ કે છે  તેણે એસબીઆઈના નેતૃત્વવાળા બેંકોનુ ગઠબંધનથી ઈમરજેંસી કૈશ સ્પોર્ટની રાહ જોઈ રહ્ય અછે. જેનાથી તે પોતાની સેવાઓમાં આવી રહેલ ઘટાડો રોકી શકાય 
 
21 વર્ષમાં ડૂબી ભારતની 12 એયલાઈંસ કંપનીઓ 
 
એક્બાજુ દેશમાં હવાઈ મુસાફરોની સંખ્યા ઝડપથી વધી રહી છે તો બીજી બાજુ ખોટને કારણે અનેક કંપનીઓ બંધ પણ થઈ ચુકી ક છે. છેલ્લા એક વર્ષમાં 12 એયરલાઈંસ કંપનીઓએ દમ તોડ્યો છે. 1981માં શરૂ થયેલ વાયુ દૂત પણ તેમા સામેલ છે.