શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 27 સપ્ટેમ્બર 2022 (12:31 IST)

Ration Card: રેશન કાર્ડ ધારકોની લાગી લોટરી, ઓક્ટોબરથી મોદી સરકાર આપશે આ ખાસ સુવિદ્યા

Modi Govt Ration Scheme: મીડિયા રિપોર્ટ મુજબ, કેન્દ્ર સરકારે ફરી એકવાર મફત રાશન વિતરણની આ સૌથી મોટી યોજનાને છ મહિના (માર્ચ 2023 સુધી) લંબાવવાનું નક્કી કર્યુ છે. 
 
PMGKAY Update: જો તમારી પાસે રેશન કાર્ડ છે અને તમે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ મફત રાશન લઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા કામના છે. ખરેખર, આ યોજના એપ્રિલ 2020 માં કોવિડ સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી. પછી માર્ચ 2022માં આ યોજનાને છ મહિના માટે સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. હવે ચર્ચા છે કે સરકાર આ યોજનામાં ફરી એકવાર વધારો કરશે કે નહી ?
 
સીધી રીતે 80 કરોડ લોકો જોડાયેલા છે 
 
સરકારની આ યોજનાને લઈને એટલા માટે ચર્ચા થઈ રહી છે કારણ કે તેની સાથે 80 કરોડ લોકો સીધા જોડાયેલા છે. મીડિયા અહેવાલો મુજબ, કેન્દ્ર સરકારે ફરી એકવાર મફત અનાજ વિતરણની આ સૌથી મોટી યોજનાને છ મહિના (માર્ચ 2023 સુધી) લંબાવવાનું નક્કી કર્યુ છે. કેન્દ્રીય ખાદ્ય વિભાગના સચિવે પણ આનો સંકેત આપ્યો છે. જો કે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
 
અત્યાર સુધીમાં 3.40 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થયો 
અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) વિશ્વની સૌથી મોટી ખાદ્ય યોજના છે. આ માટે સરકાર પાસે અનાજનો પૂરતો સ્ટોક છે. સરકાર દ્વારા આ માટે સ્ટોકની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. સરકાર દ્વારા આ યોજના પર અત્યાર સુધીમાં 3.40 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં આ યોજનામાં વધારો કરવાથી રેશનકાર્ડ ધારકોને સીધો ફાયદો થશે.
 
આ યોજના હેઠળ મળનારા લાભો
કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ દેશના તમામ ગરીબ રેશનકાર્ડ ધારક પરિવારોને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ  આપવામાં આવે છે. શરૂઆતમાં, યોજના હેઠળ, પરિવારને એક કિલોગ્રામ ચણાની દાળ અને જરૂરી મસાલાની એક કીટ આપવામાં આવી હતી. અગાઉ આ યોજના માત્ર રેશનકાર્ડ ધારકો માટે હતી. બાદમાં તેમા ગરીબ પરિવારોને પણ તેમાં ઉમેરવામાં આવ્યા, જેમની પાસે રેશનકાર્ડ નહોતા.